અમદાવાદ : નરોડા ગામ હત્યા કેસમાં આરોપી અને પૂર્વ મંત્રી માયાબેન કોડનાની તરફથી સીઆરપીસીની કલમ 233(3) મુજબ સ્પેશયલ કોર્ટમાં અરજી કરી હતી.જેમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સહિત 14 વ્યકિતઓને બચાવ પક્ષના સાક્ષી તરીકે સમન્સ ઈસ્યુ કરવા રજૂઆત કરી હતી. જેમાં નરોડાગામની ઘટના બની તે સમયે માયાબેન ઘટના સ્થળે નહીં પરંતુ જુદી-જુદી જગ્યાએ હાજર હતા તેના સાક્ષીઓ પણ હોવાનો મુદ્દો અદાલત સમક્ષ ઉભો કરવામાં આવ્યો હતો. જેમાં અમિત શાહને સાક્ષી તરીકે આ કેસમાં હાજર રહેવાનુ છે. બાદ માયાબેન તરફથી બચાવમાં સાક્ષીઓની જુબાની થઈ હતી.જેમાં માયાબેનની સાથે અમિત શાહ હાજર હોવાના પુરાવા રેકર્ડ ઉપર આવ્યા હતા. દરમિયાનમાં માયાબેન કોડનાની તરફથી કોર્ટમાં અરજી આપીને જણાવ્યું હતુ કે, અમિતભાઈ અનિલચંન્દ્ર શાહ જેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને આ કેસમાં બચાવ માટે તપાસવા જરૃરી છે. આથી તેમને સમન્સ કાઢીને બોલાવવા જોઈએ. ત્યારબાદ કોર્ટે અમીત શાહના થલતેજના સરનામે સમન્સ કાઢીને તા.18મીના રોજ હાજર રહેવા જણાવ્યુ છે.જેના પગલે તા.18મીના રોજ અમીત શાહ કોર્ટમાં જુબાની માટે ઉપસ્થિત રહેશે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.