કોઝિકોડ પ્લેન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને તેમનું વળતર આપવામાં આવ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ મંગળવારે આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, “એર ઇન્ડિયા એક્સપ્રેસે કોઝિકોડ પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને વળતર ચૂકવવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે. વળતરની કુલ રકમ 4.25 કરોડ રૂપિયા ચૂકવવામાં આવી છે. ‘
