અમદાવાદ: ગાંધીનગરમાં પીએમ મોદી વિશાળ જન સભાને સંબોધશે ત્યારે ગાંધીનગરમાં પડતર માંગણીના કારણે વિદ્યા સહાયકોએ ઉગ્ર વીરોધ નોંધાવ્યો હતો જેની અટકાયત કરવામાં આવી હતી એક બાજુ વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને શાસક પક્ષ જોર શોરથી પ્રચાર કરે છે ત્યારે વડોદરા સહિત રાજ્ય ભરમાં આશાવર્કરોના વિરોધ 108ના કર્મચારીઓનો વિરોધ અને વિપક્ષના વિરોધને કારણે 150ના લક્ષ્યાંકને પાર કરવો ભાજપ માટે કપરો સાબિત થાય તેવું છે.
તાજેતરમાં આવેલી નોટબંધી અને જીએસટીના પૂરતા અમલના અભાવે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાત કરીયે કેન્દ્ર લેવલની તો પંજાબના ગુરુદાસપુરની બેઠક સાંસદ જાણીતા અભિનેતા વિનોદખન્ના નિધનને કારણે ખાલી પડી હતી તેમાં તાજેતરમાં આવેલા કોંગ્રેસ તરફી પરિણામને કારણે ભાજપ માટે આવનારો સમય કપરો સાબિત થાય તેવું લાગી રહ્યું છે અધૂરામાં પૂરું ભાજપના પૂર્વ સ્ટાર પ્રચારક નવજ્યોત સિંધુના પક્ષ પલટો પણ કારણભૂત ગણી શકાય ત્યારે હિન્દૂ રાષ્ટ અને વિકાસના મુદ્દાને આગળ ધપાવી ચૂંટણીના વિજયના લક્ષયાંકને કેટલી સફળતા મળશે તે જોવું રહ્યું।


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.