રાજકોટ : ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ હવે ઘણી નજીકમાં યોજવા જઈ રહી છે, ત્યારે લગભગ દરેક સામાન્ય નાગરિક મતદાન કરવાનો અધિકાર ધરાવતો હોય છે, તેમ છતાં કેટલાક લોકો એવા પણ હોય છે કે જે આ મતદાનના અધિકારનો ઉપયોગ કરવાનું ટાળીને મતદાનથી દૂર રહેતા હોય છે. જયારે કેટલાક એવા પણ લોકો છે કે જેમનો મતદાનન અધિકાર છીનવાઈ ગયો હોય તે લોકો કોઇપણ ભોગે મતદાન કરવા ઝંખતા હોય છે. લોકશાહીમાં કરવામાં આવેલી વિવિધ પ્રકારની ધારાકીય જોગવાઈ પ્રમાણે મતદાન કોણ કરી શકે અને કોણ ના કરી શકે તે બાબત પણ ઘણી જ વિચિત્ર અને વિવાદાસ્પદ રહેલી છે. એક આવી જ જોગવાઈ પ્રમાણે જે વ્યક્તિ જેલની અંદર ચાર દીવાલની વચ્ચે હોય તે વ્યક્તિને મતદાન કરવાનો અધિકાર રહેતો નથી. આમાં પણ જોવા જઈએ તો વિધિની વક્રતા એવી છે કે આવી વ્યક્તિ જો માત્ર આરોપી જ હોય તેનો કેસ ચાલુ હોય પરંતુ ચુકાદો ના આવ્યો હોય, અન્ડર ટ્રાયલ હોય પરંતુ તે જો જેલમાં હોય તો તે મતદાન કરવાને પાત્ર રહેતો નથી. ભલે ને તેનો ગુન્હો ચોરી કે છેતરપીંડી જેવો હોય, પરંતુ તે બાબત લક્ષ્યમાં લેવાતી નથી. જયારે બીજી તરફ કોઈ વ્યક્તિ હત્યાના કેસમાં ગુનેગાર સાબિત થઇ ચુકી હોય પરંતુ તે જમીન ઉપર મુક્ત હોય તો તે મતદાન કરી શકે છે. કર્ક કે તે જેલમાં નથી ને તે બાબત જ ધ્યાનમાં લેવામાં આવે છે. આ પ્રકારની વિચિત્ર અને વિવાદાસ્પદ જોગ્વૈઓને દુર કરવા માટે છેલ્લા કેટલાયે વર્ષોથી સંખ્યાબંદ સ્વૈચ્છિક સંસ્થાનો પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ જોગવાઈ દુર કરવામાં હજુ કોઈ સફળતા મળી નથી.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.