સરકારે ભારતથી અલગ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને દર્શાવતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)ના નકશા સામે વાંધો ઉઠાવ્યો છે. તંત્ર સમક્ષ આ મુદ્દો ઉઠાવતા ભારતે તેને ખોટી રજૂઆત ગણાવી છે. રિપોર્ટ અનુસાર, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતીય રાજદૂત ઇન્દ્રમણિ પાંડેએ ડબલ્યુએચઓના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એહોમ ઘબ્રાસસ સામે આ વાંધો વ્યક્ત કર્યો હતો.
તેમણે ઊંડો અસંતોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે, ડબલ્યુએચઓના વડાએ તાત્કાલિક હસ્તક્ષેપ કરવો જોઈએ અને નકશો પાછો ખેંચી લેવો જોઈએ. ભારતીય સરહદનું ખોટું ચિત્રણ છે. તેના બદલે, સાચો નકશો લાવવો જોઈએ. ભારતે ત્રીજી વખત મહિનાભાભરમાં આ નો વિરોધ કર્યો છે. જેમણે તાજેતરમાં વિવિધ દેશોના રંગીન નકશા બહાર પાડ્યા છે, જેમાં મહામારીથી પીડાતા લોકોના આંકડા દર્શાવવામાં આવ્યા છે. તેમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખભારતથી અલગ રંગદર્શાવે છે.