ભારત સામે રમાયેલી ચાર મેચની શ્રેણીની ત્રીજી મેચમાં ઈંગ્લેન્ડની ટીમને શરમજનક હાર મળી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ડે નાઈટ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે બે દિવસમાં ઈંગ્લેન્ડને સમેટી હતી. અક્ષર પટેલ અને આર.અશ્વિનની શાનદાર બોલિંગ પર ભારતે પ્રથમ ઈનિંગમાં ઈંગ્લેન્ડનો 112 અને બીજામાં માત્ર 81 રન પર સફાયો કર્યો હતો. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી જેફ્રી બાયકોટ ઈંગ્લેન્ડની ટીમમાં એક સ્પિનર સાથે ઉતરાણ પર સવાલો ઉભા કર્યા છે.
ઈંગ્લેન્ડની બીજી ટીમ માત્ર 81 રનમાં સમેટાઈ અને ભારતની સામે 49 રનનો સાધારણ ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલે વિકેટ ગુમાવ્યા વિના 7.4 ઓવરમાં વિજયનો ટાર્ગેટ હાંસલ કરી લીધો હતી. પ્રથમ મેચ હાર્યા બાદ ભારતીય ટીમે સતત બે મેચ જીતીને શ્રેણીમાં 2-1થી સરસાઈ હાંસલ કરી લીધી છે.
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી જેફ્રી બાયકોટ એ ભારતના દેખાવની પ્રશંસા કરી છે અને પોતાની ટીમને ઠપકો આપ્યો છે. અમદાવાદની ટેસ્ટમાં હાર બાદ તેણે ઇંગ્લિશ ટીમને ઠપકો આપ્યો છે. દિગ્ગજ ખેલાડીએ કહ્યું કે તેણે ટર્નિંગ ટ્રેક પર ત્રણ ફાસ્ટ બોલરો સાથે ઉતરવું નક્કી કર્યું હતું. ઈંગ્લેન્ડની ટીમે જેમ્સ એન્ડરસન, જોફ્રા આર્ચર, સ્ટુઅર્ટ બ્રોડ જેવા ત્રણ ફાસ્ટ બોલરોને પ્લેયિંગ ઇલેવનમાં રમવામાં સામેલ કર્યા હતા.
ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીએ એક અખબારમાં લખ્યું હતું કે, “હું જાણવા માંગુ છું કે ટર્નિંગ પીચ પર ત્રણ ફાસ્ટ બોલરો સાથે રમવાનો આ આશ્ચર્યજનક વિચાર કોની પાસે હતો. તેમને તેનાથી શરમ આવવી જોઈએ. ઈંગ્લેન્ડની ટીમે વિચારવું જોઈતું હતું કે કે તે એડિલેડમાં નહીં પરંતુ પિંક બોલ ટેસ્ટ મેચ રમવા માટે અમદાવાદમાં હશે. ”
અગાઉ તેણે ટ્વિટર પર એક ચાહકના સવાલના જવાબમાં ભારતીય ટીમને પણ ટેકો આપ્યો હતો. ટર્નિંગ પીચ પર બાઇકોટે કહ્યું હતું કે કોઈ નિયમમાં કોઈ ટીમ કેવા પ્રકારની પીચ તૈયાર કરશે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.