પાકિસ્તાનમાં ઇશનિંદાના આરોપમાં લગભગ પાંચ વર્ષથી જેલમાં ખ્રિસ્તી યુવાન ને હવે જામીન મળી ગયા છે. સુનાવણી વિના તેને આટલી લાંબી જેલમાં રાખવામાં આવ્યો હતો.
લાહોર હાઈકોર્ટે સોમવારે નબીલ ખ્રિસ્તને જામીન આપી હતી. સુનાવણી દરમિયાન નબીલના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, “મારી મુક્વિલ લગભગ પાંચ વર્ષથી જેલના સળિયા પાછળ છે અને તેની સુનાવણીમાં કોઈ પ્રગતિ થઈ નથી. ફોરેન્સિક રિપોર્ટમાં એ પણ સાબિત થયું છે કે, , એ નબીલ દ્વારા, આ કથિત ઇશનિંદા પોસ્ટ નબીલ દ્વારા તૈયાર કરવામાં આવી ન હતી. તે સમયે તે નાબાલિક હતો. એવું લાગે છે કે, ધર્મગુરુઓ અને સ્થાનિક લોકોના દબાણહેઠળ પોલીસે નબીલ પર એફઆઈઆર નોંધાવી હતી. ‘
આ એફઆઈઆરના આધારે લાહોરથી 50 કિમી દૂર કસુર શહેરમાં તેની ધરપકડ કરવામાં આવી ત્યારેનબીલ ની ઉંમર માત્ર 16 વર્ષની હતી.
ઉલ્લેખની ય છે કે પાકિસ્તાનમાં ઇસનિંદા પર કડક કાયદા બનાવવામાં આવ્યા છે. ઇસનિંદાનો આરોપ કરનાર વ્યક્તિ તેની પસંદગીનો વકીલ પૂરો પાડવા માટે સક્ષમ નથી. મોટાભાગના વકીલો આવા સંવેદનશીલ કેસો લેવાનો ઇનકાર કરે છે.