નવી દિલ્હીઃ ભારત અને ચીન સરહદે પૈંગોંગ સરોવરમાં એક વર્ષ સુધી ચાલેલા તણાવ બાદ બન્ને દેશની સેના વચ્ચે થયેલી વાતચીત બાદ ચીને પોતાની સેના પાછી ખસેડી લીધી છે. LACની વર્તમાન સ્થિતિ પર આર્મી ચીફ નરવણેએ જણાવ્યું કે પૈગોંગ સરોવરથી ચીની સેના હટ્યા બાદ ખતરો ઘટ્યો છે. પણ સમાપ્ત નથી થયો.
ભારતીય વિસ્તારોમાં ચીનનો કબજો નથી. સેનાની તૈનાતી ગત વર્ષની જેમ યથાવત છે. LAC પર આપણે તમામ ઉદ્દેશમાં સફળ થઈશું. નરવણેએ જણાવ્યું કે પહેલા જે ભાગ પર ભારતનું નિયંત્રણ હતું ત્યાં ચીનનો કબજો નથી.
પર્વતીય ક્ષેત્રની સ્થિતિ વિશે જણાવતા નરવણેએ કહગ્યું કે કેટલાક ક્ષેત્રમાં સૈન્ય શક્તિ એમ જ છે જે રીતે આ સીમા પર તણાવના સમયે હતી. સત્રમાં તેઓએ પીએમ મોદીની એ ટિપ્પણી સાથે સહમતિ દર્શાવી જેમાં તેઓએ કહ્યું હતું કે ભારતીય વિસ્તારમાં ચીનનો કબજો નહીં. આ વાત સાથે આર્મી ચીફ પણ સહમત થયા હતા.
આર્મી ચીફ નરવણેએ એમ પણ કહ્યું કે તણાવની સ્થિતિ હજુ પણ બાકી છે. અને સાથે હંમેશા ચાલુ રહેશે. તેઓએ એમ પણ કહ્યું છે કે કેટલાક વિસ્તારો છે જ્યાં આપણે ચર્ચા કરવાની છે પણ દરેક ચીજોને મેળવીને મને લાગે છે કે આ વિશ્વાસ કરવા માટે આપણી પાસે મજબૂત આધાર છે કે આપણે દરેક ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહીશું.
આર્મી ચીફે કહ્યું કે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ગ્રે વિસ્તારો મુખ્ય કારણ છે. કેમકે કોઈ ચિન્હિત વાસ્તવિક નિયંત્રણ રેખા નથી. અલગ અલગ દાવા અને અવધારણા છે. તમે એમ ન કહી શકો કે હું ક્યાં છું, તેઓ ક્યાં છે. તેઓએ કહ્યું કે જ્યાં સુધી સૈનિકો પાછળના વિસ્તારોથી પરત ફરતા નથી ત્યાં સુધી સ્થિતિ સામાન્ય છે તેમ કહી શકાશે નહીં.