રીના બ્રહ્મભટ્ટ
આ વખતની ચુંટણી કઈક હટકે છે. ગુજરાતમાં મુખ્યમંત્રી પદના દાવેદાર કોણ હશે? એ સસ્પેન્સ હજુ અકબંધ છે. કોંગ્રેસે પણ હજુ આ મામલે પોતાના પત્તા ખોલ્યા નથી. અને લોકો પણ આ મામલે ચુપચાપ ખેલ જોવાના મૂડમાં છે. અને આની પાછળ પણ એક ગણિત તે હોય છે કે, વિરોધ પક્ષ ઉમેદવારોની જોડ-તોડ ના કરે કે પછી ઉમેદવારના મત તોડે તેવો ઉમેદવાર ઉભો રાખે કે પછી અપક્ષ ઉતારી મતોનું વિભાજન કરવામાં આવે ખેર આ તથ્ય સામે એક વાત એ પણ છે કે બીજેપી પાસે હાલ એવો કોઈ મજબુત ચહેરો નથી કે, જે મોદીની જેમ લોકોને આકર્ષી શકે.
બાકી અત્યાર સુધીની તમામ ચુંટણીઓમાં મોદીનો જાદુ બીજેપીને કામ લાગ્યો છે. અને આ વખતે ગુજરાતમાં પ્રથમ વાર એવું બનશે કે જેમાં મોદી સીધા આ ચુંટણીમાં સામેલ નહિ હોય. એટલે મોદી મેજિકનો લાભ પાર્ટી ખાસ નહિ લઇ શકે. જો કે, તેમ છતાં મોદી અને અમિત શાહ દ્વારા જ મેક્સીમમ સભાઓ અને રેલીઓ ગજવવામાં આવશે. એટલે કે આ ચુંટણી જીતવાનો ભાર આ વખતે પણ મોદી પર જ રહેશે.
જો કે ગઈ ચુંટણીમાં પણ આ ભાર મોદી માથે જ હતો. ને જ્યાં મોદી નોતા પહોચી શક્યા ત્યાં તેઓ એ થ્રીડી દ્વારા સંબોધન કર્યું હતું. તો આ ફેરનો માહોલ જોતા મોદીએ ૫૦ થી પણ વધુ રેલીઓ, સભો ગજ્વવી પડશે.
ત્યારે આ સાથે મળતા એક રસપ્રદ સમાચાર મુજબ ભાજપ આ વખતે લોકોને લોભાવવા “જાદુગરો” નો સહારો લેશે. એક સમાચાર મુજબ નાગપુરના ૫૦ જેટલા જાદુગરોને તેમના પ્રચારની જવાબદારી સોપશે. આ જાદુગર પ્રધાનમંત્રી, રાષ્ટ્રીય નેતાઓ, અને મંત્રીઓ ની સભાઓ પહેલા જાદુથી કમળ ખીલવીને જાદુના શો બતાવશે. જેમાં જાણીતા જાદુગર એસ લાલ તેના જાદુ દ્વારા લોકોને આકર્ષવાનો પ્રયાસ કરશે.
લો બોલો ત્યારે શું પાર્ટીના નેતાઓમાં દમ નથી કે હવે પાર્ટીઓ એ ભીડ એકથી કરવા જદુગરોનો સહારો લેવો પડી રહ્યો છે. જો કે, રાજકારણમાં ભીડ એકઠી કરવા જાત જાતના હથકંડા અપનાવાય છે. જેમાં નાણાના જોરે પણ ભાડુતી માણસો લાવી ભીડ એકઠી કરાય છે.અને આવું મોટાભાગે દરેક પાર્ટી કરતી હોય છે.
જો કે, મોદીનું આકર્ષણ લોકોને પાછલા ૨૦ કે ૨૨ વર્ષથી છે. અને અખા દેશની પબ્લિક મોદીના સંમોહનમાં આવી જતી હોય છે. ત્યારે આ અંગે એમ ચર્ચાય છે કે, મોદી એમના કાંડે જે કાળો ધાગો બાંધી રાખે છે. અને આ ધાગામાં કૈક એવો જાદુ કે સમોહન છે કે, એ હાથની આંગળી મોદી લોકો તરફ કરે કે, લોકો આ જાદુના પ્રભાવમાં મોદીને કે ભાજપને વોટ આપે છે. અને કહેવાય છે કે, આ કાળો દોરો એમને એમના ગામના નજીકના એક મંદિરના પુજારી પૂજા, વિધિ કરી મોકલાવે છે. જેથી તેમાં એક શક્તિ હોય છે. તેમજ આ જ પ્રકારે સોનિયા ગાંધી પણ હાથે નાડાછડી બાંધે છે. અને એ પણ આ જ પ્રકારે પૂજા વિધિ કરેલ હોય છો. લો બોલો નેતાઓ પણ ચુંટણી જીતવા કેવા કેવા નુસખા અજમાવે છે…