રીના બ્રહ્મભટ્ટ
કહેવાય છે કે, પોલિટિક્સ ઈજ ડર્ટી કે જેમાં દરેક પ્રકારની શક્યતાઓ રહેલી છે. સારા-નરસા એમ તમામ પ્રકાર ના છાપેલા કાટલા હોય એમનો રાજકારણમાં સમાવેશ થાય છે. અને રાજકારણમાં કાયમી કોઈ દોસ્ત નથી હોતું કે ના તો કાયમી કોઈ કોઈનું દુશમન હોય છે. આ જ રાજકારણની ખાસિયત હોય છે. અને આ ખાસિયતનો લાભ લઈને જ કેટલીય છાપેલી નોટો જેલમાં થી મહેલમાં રહેવાના સપના જોતી હોય છે. જી હા, સામાન્ય નોકરીમાં ઉમેદવારની યોગ્યતાના અનેક પુરાવા આપવા પડે છે, પરંતુ રાજકારણમાં ટનના ભાવે જૂઠ વેચાય છે. અને ગામના ઉતાર જેવા થી લઇ ગામના દાદા કે ગુંડાઓ પણ ચૂંટણીના મેદાનમાં જંપલાવતાં હોય છે. અને આટલું જ નહિ બલ્કે બડે શાન થી આ લોકો જીતીને પણ આવે છે. અને એક સમયની ડાકુરાણી ફુલનદેવી જેવા લોકો હોંશે હોંશે નેતા તરીકે સાંસદ કે વિધાનસભામાં બિરાજતા હતા. અને સંસદની શાન વધારતા (ગુમાવતા ) હતા.
યુપીની ચૂંટણીઓમાં તો આવા ગુંડા, મવાલીઓ નો દબદબો હોય છે. પરંતુ હાલમાં જ યોજવા જઈ રહેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ મેં કહેવાય છે કે, મની લોન્ડરિંગ, સટ્ટાકાંડ, બળાત્કાર, લૂંટ, ખૂન, મારામારી જેવા ગુનાઓમાં સંડોવાયેલા હોય અને એમની સામે કોર્ટમાં કેસ પડતર હોય કે FIR ફાટેલી હોય એવા કેટલાય લોકો એ ભાજપ અને કોંગ્રેસમાં થી ટિકિટ માંગેલી છે. અને ભાજપ અને કોંગ્રેસમાં થી દાવેદારી પણ નોંધાવેલી છે. ત્યારે હવે કઈ પાર્ટી કેટલા ગુનાઇત રેકોર્ડ ધરવા ઉમેદવારોને પાર્ટીની ટિકિટ આપે છે એ જોવાનું રહે છે.
વેલ, આ સમાચારો વચ્ચે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે, દાગી નેતાઓ વિરુદ્ધ ચાલી રહેલા કેસોના ઝડપી નિરાકરણ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટોનું ગઠન કરે. અને આ આ સઘળી કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરે. તો બીજી તરફ સુનવણી દરમ્યન ચૂંટણી પંચે પણ કહ્યું છે કે, રાજનીતિમાં અપરાધિકરણ ને રોકવા માટે ગુનાખોર નેતાઓ પાર આજીવન રોક લગાવવી જોઈશે.અન્યથા હાલના કાયદા મુજબ સજા પામેલા નેતા સજા પુરી થયાના 6 વર્ષ સુધી ચૂંટણી નથી લડી શકતા તેમછતાં હાલ આપણી સંસદ અને રાજ્યોની અનેક વિધાનસભાઓ .આવા ગુનેગારોથી ભરેલી પડી છે. અને કોઈ કાયદો આવા લોકોનું કઈ બગાડી નથી શકતો
અને એનું મુખ્ય કારણ છે આવા નેતાઓના કેસને નિપટાવવામાં લાગતો લાંબા ગાળાનો સમય અને સુસ્તી.આવા કેસો 20-20 વર્ષ સુધી પડતર રહે છે. અને કોઈ ચુકાદો આવે એ પહેલા જ એ લોકો એમનો ખેલ પૂરો કરી લેતા હોય છે. જો કે, એવામાં એ પણ નોંધવું રહ્યું કે રાજકીય પાર્ટીઓ પણ એટલી જ આ અંગે જવાબદાર છે. અને ઇવન પબ્લિક પણ આ અંગે એટલી જ જવાબદાર છે. બાકી લોકો ધારે તો આવા ગુનેગારો કોઈ પણ ભોગે લોકશાહીના પવિત્ર મંદિર સમી વિધાનસભો એ સંસદ ને ના અભડાવી શકે. પબ્લિક પણ આ બધી બાબતોમાં એટલી જ દોષિત હોય છે. બને રાજકીય પાર્ટીઓ તો એમના રોટલા શેકવા ગમે તેને ગળે લગાડતી હોય છે. યુપી ની ચૂંટણીમાં ભાજપે આવા અનેક ઉમેદવારોને ટિકિટ આપી હતી. હવે ગુજરાતમાં પણ જોઈએ કઈ પાર્ટી કેટલા ગુનેગારોને પ્રજાના માથે થોપે છે.