અમદાવાદ: કોંગ્રેસને ને અગર સતત ચોથી વાર ગુજરાતની ચૂંટણી હારવાની થાય તો એની ડૂબતી નાવ સાચે ન ડૂબે..તો આ જ પ્રકારે ભાજપ પણ જો ગુજરાતની ચૂંટણી હારે તો આ હારની સીધી અસર આવનારી અન્ય વિધાનસભાની ચૂંટણી અને ત્યારબાદ આવનાર લોકસભાની ચૂંટણી પર પણ પડે. અને એટલે જ આ હાર-જીત બંને પક્ષ માટે જીવ સટોસટના જંગ સમાન છે. અને એથી જ આ રંગ આ વખતે વધુ અસર બતાવી રહ્યો છે. જો કે, આ બંને પાર્ટી માટે આ વખતે કયો મુદ્દો વધુ અસરદાર બનશે? એ બાબત શિરદર્દ બની છે. કેમ કે, વિકાસ પાગલ થયો છે, તો કોંગ્રેસ ની જૂની જોગલ જોડી એટલે દલિતો અને લઘુમતીને કોંગ્રેસે પાટીદારોના મત અંકે કરવાની લ્હાયમાં સાઈડ લાઈન કર્યાં છે.
અને આ સ્થિતિમાં કઈ પણ સ્પષ્ટ નથી થઇ રહ્યું વિશેષમાં ગુજરાતમાં કુલ 4.32 કરોડ જેટલા મતદારો છે, અને એમાંથી 65 % જેટલા 35 વર્ષ થી ઓછી ઉંમરના છે. તેથી એમને અનામત જેવા મુદ્દા સ્પર્શે છે. તો તે સાથે જ 50 લાખ મતદાતાઓ તેવા પણ છે કે, જે પ્રથમ વખત મતદાન કરશે.એટલે કે રાજનીતિ અને એના બદલાતા રંગોથી તેઓ સૌ અજાણ હશે એમ માની લેવાય. અને 1995 પછીનો બોર્ન હોવાને કારણે એમને તે પણ યાદ નહિ હોય કે, ગુજરાતમાં ક્યારેક કોંગ્રેસનું પણ શાસન હતું। અને આ યંગસ્ટર્સને અનામત, મોંઘુ શિક્ષણ, બેરોજગારી જેવા મુદ્દા ખાસ સ્પર્શે છે. તેથી તેઓ આવા આંદોલનને એમની નજરે જોઈ પણ શકે. મતલબ કોંગ્રેસને એનો સીધો ફાયદો મળી પણ શકે.
ત્યારે કહેવાનો સ્પષ્ટ આશય છે કે, નવા મતદાતાઓ થી લઈને પાટીદારો, ઓબિસી અને દલિતો કોઈ પણ પાર્ટીના બાજી બગાડી પણ શકે છે અને સુધારી પણ શકે છે. કેમ કે, 2002 થી જ પાછળની ત્રણ વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના વોટ સંખ્યા વચ્ચે ફક્ત 10-11 % નો જ ફર્ક છે. જેમાં અગર ફક્ત 6 % જેટલા જ વોટો કોંગ્રેસ તરફ જુકે તો ભાજપના સપનાનો મહેલ તૂટી શકે છે. કેમ કે, આમ પણ પાછલી ચૂંટણીઓ ની મતદાનની ટકાવારી જુવો તો ભાજપ તરફી 48.30 % અને કોંગ્રેસ તરફી 40.59% વોટ પડે છે. એટલે માર્જિન સૌ નોર્મલ છે. જેમાં આ ત્રણ નેતાઓની ચંડાળ ચોકડી ખાસ તો ભાજપનો ખેલ બગાડી શકે. તો કોંગ્રેસ અગર એમની માંગણીઓને તાબે ના થાય તો ખેલ કઈકે ઓર જ બની શકે.
અને રાજકીય પંડિતોના માટે, અસલમાં આ જંગ 2015ના પાટીદાર આંદોલન બાદ થી જ શરુ થયું હતો. અને એની અસર સ્વરૂપે જિલ્લા અને તાલુકા પંચાયતો માં ભાજપની હાર થઇ હતી. જો કે પાર્ટી 2015 પછી મોટી 7 ચૂંટણી અને બીજી નાની -મોટી ચૂંટણીઓ જીતેલ છે. તો બીજી તરફ લોકોમાં મોદી મેજીક યથાવત છે તેથી કોંગ્રેસની રાહ એમ આસાન ના બને. પણ મતોનું સારું એવું વિભાજન ભાજપને અસર ચોક્કસથી કરશે.
રીના બ્રહ્મભટ્ટ દ્વારા