સુરતઃ આધુનિક સમયમાં લીવ ઈન રિલેશનશીપમાં રહેવાનું ચલણ વધતું જાય છે પરંતુ તેનું પરિણામ ગંભીર આવતું હોય છે. સુરતના ડિંડોલીમાં 25 વર્ષથી લીવ ઈન રિલેશનશીપમાં સાથે રહેતા 65 વર્ષીય મહિલાની તેના 45 વર્ષીય પ્રેમીએ જ ગળું દબાવીને હત્યા કરી નાંખી હોવાની ચકચારી ઘટના બની હતી.
ઘટના અંગે મળીત માહિતી પ્રમાણે બુધવારે ગત રોજ દારૂ પીને પ્રેમીકાને ઢોર મારમારતા પ્રેમીએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે મહિલાનું બિમારીની કારણે મોત નિપજ્યું હોવાનુ રટણ કર્યું હતું પરંતુ પીએમ રિપોર્ટમાં તેનો ભાંડો ફૂટી ગયો હતો. બનાવ અંગે શરુઆતમાં અકસ્માત મોતના કેસની તપાસ કરનાર પીએસઆઈ ગઈકાલે સરકાર તરફે ફરિયાદી બની હત્યારા પ્રેમી સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની અટકાયત કરી છે અને સાંજે તેનો કોવિડ-19નો ટેસ્ટ કરાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરશે.
ડિંડોલી સંતોષીમાતાના મંદિરની ગલીમાં રેલવેની દિવાલ પાસે આવેલ સંતોષીનગર સોસાયટીમાં રહેતા 65 વર્ષીય સુલતાનાબેનને ગત તારીખ 13મીના રોજ સવારે તેની સાથે લીવ ઇન રિલેશનશીપમાં સાથે રહેતા રોહિત સીમાંચલ સ્વાઈ (ઉ.વ.45) સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબોએ તેણીને મરણ જાહેર કરી હતી. રોહિતે પોલીસ સમક્ષ સુલતાના બિમાર હોવાથી તેની તબિયત બગડતા સારવાર માટે લાવ્યો હોવાનું રટણ ચલાવ્યું હતું, જેતે સમયે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
દરમિયાન પીએમ રિપોર્ટમાં સુલતાનાબેનનું ગળુ દબાવી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતા પોલીસ ચોકી ઉઠી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સુલતાના અને રોહિત સ્વાંઈ વચ્ચે પ્રેમસંબંધ હતો અને તેઓ છેલ્લા 25 વર્ષથી લીવ એન્ડ રિલેશનશીપમાં સાથે એકલા રહે છે. રોહિત સ્વાઈ રોજના સાંજે દારૂ પી ઘરે આવી સુલતાનાને મારઝૂડ કરતો હોવાનુ બહાર આવ્યું હતું.
બનાવના દિવસે સુલતાનાએ તબિયત સારી ન હોવાથી જમવાનું બના્વ્યુ ન હતુ જેને લઈને રોહિતે તેની સાથે ઝઘડો કરી મારઝૂડ કરી ગળુ દવાબી હત્યા કરી હોવાનુ બહાર આવ્યું હતું. આ અંગે શરુઆતમાં અકસ્માત મોતની તપાસ કરનાર પીએસઆઈ વાય.જી.મુથકિયાએ ગઈકાલે સરકાર તરફે ફરિયાદી બની રોહિત સ્વાઈ સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની અટકાયતમાં લીધો હતો અને તેનો કોવિડ-19નો ટેસ્ટ કરાવી તેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરશે.