ગાંધીનગરઃ કોરોના વાયરસના કારણે રાજ્યમાં રાતના 8 વાગ્યાથી રાત્રી કર્ફ્યૂ લાગુ હતી. પરંતુ આવતી કાલે ગુરુવારથી રાત્રી કર્ફ્યૂનો નવો સમય લાગુ પડશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાત્રિ કર્ફ્યૂના સમયને લઈને જાહેરાત કરી છે. જનતાને થોડી રાહત આપતા હવે રાત્રિ કર્ફ્યૂનો સમય રાતના 8 કલાકને બદલે હવે રાત્રિના 9 વાગ્યાથી શરૂ થશે જે સવારના 6 વાગ્યા સુધી લાગૂ રહેશે.
રાજ્યમાં લાગુ કરવામાં આવેલા રાત્રી કર્ફ્યૂના સમયમાં બદલાવ કરવામા આવ્યો છે. આવતી કાલથી રાજ્યના આઠ મહાનગરમાં રાત્રી કર્ફ્યૂ રાત્રી આઠના બદલે રાત્રિના નવ વાગ્યાથી ચાલુ થશે અને જે સવારના 6 વાગ્યા સુધી યથાવત રહેશે. જે અંગેનો નિર્ણય ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં લેવાયો અને તેની જાહેરાત ખુદ સીએમ વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી.
રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે સરકાર દ્વારા રાત્રી કર્ફ્યૂ લાગૂ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. જેથી સરકાર દ્વારા થોડી રાહત આપવામાં આવી રહી છે.