આરબીઆઇએ નેશનલ ઓટોમેટિડ ક્લીયરિંગ હાઉસ (NACH) ને હવે 24 કલાક સાત દિવસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આ નવો નિયમ તમામ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકોમાં પણ નવો નિયમ લાગૂ પડશે.
બેન્કના દરેક ગ્રાહકે આ માહિતી જણાવી ખુબ જ અગત્યની અને અનિવાર્ય છે.જો તમે ચેક વડે પેમેન્ટ કરો છો તો તમારા માટે એકદમ જરૂરી સમાચાર છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI) એ એક ઓગસ્ટના રોજ બેંકીંગ નિયમોમાં થોડો ફેરફાર કરી દીધો છે. આરબીઆઇએ નેશનલ ઓટોમેટિડ ક્લીયરિંગ હાઉસ (NACH) ને હવે 24 કલાક સાત દિવસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આ નવો નિયમ તમામ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકોમાં પણ નવો નિયમ લાગૂ પડશે.
આરબીઆઇના આ નવા નિયમ હેઠળ હવે રજા દિવસે પણ તમારો ચેક ક્લિયર થઇ જશે. પરંતુ એવામાં હવે તમારે સર્તક રહેવાની પણ જરૂર છે. આમ એટલા માટે કારણ કે હવે શનિવારે ઇશ્યૂ કરવામાં આવેલા ચેક રવિવારે પણ ક્લીયર થઇ શકે છે. એટલે કે તમારે ચેકના ક્લીયરન્સ માટે દરેક વખતે બેલેન્સ રાખવું પડશે, નહીતર તમારો ચેક બાઉન્સ થશે તો તમને પેનલ્ટી લાગી શકે છે. પહેલો ચેક ઇશ્યૂ કરતી વખતે ગ્રાહકને એવું લાગે છે કે આ રજા બાદ જ ક્લીયર થશે. પરંતુ હવે રજાના દિવસે પણ આ ક્લીયર થઇ શકે છે. માટે હવે કોઈને પણ ચેક આપતા પહેલા એ ખ્યાલ રાખજો કે એ રજાને દિવસે પણ ક્લિયર થઇ શકે છે.