‘દરેક વ્યક્તિએ વાદ-વિવાદ, ધર્મ, જાતિ આ તમામ વસ્તુઓ ભૂલીને બધાને મદદ કરવી જોઈએ.’: હાર્દિક પટેલ : અર્થાત “સૌનો સાથ,સૌનો વિકાસ” : હવે હાર્દિકના તમામ ધર્મ અને જાતિને ‘હાર્દિક અભિનંદન’ : શું ભાજપમાં જોડાવાના એંધાણ ?
‘પાટીદાર સિવાય કોઈ નહિ’ એવું કહેનાર હાર્દિક પટેલ હવે તમામ ધર્મ અને જાતિને ‘હાર્દિક અભિનંદન’આપી રહ્યા હોય એવું એમનું એક નિવેદન રાજકોટની મુલાકાતે આવેલા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવ્યું છે.’દરેક વ્યક્તિએ વાદ-વિવાદ, ધર્મ, જાતિ આ તમામ વસ્તુઓ ભૂલીને બધાને મદદ કરવી જોઈએ.’એવું નિવેદન હાર્દિક પટેલ દ્વારા આપવામાં આવતા. એક સમયે ‘માત્ર પાટીદાર સિવાય કોઈ નહિ’ આવી વાતો કરનાર હાર્દિક પટેલના બદલાઈ રહેલા સૂર દર્શાવી રહ્યું છે. આ બદલાયેલ સુર શું હાર્દિકના ભાજપમાં જોડાવાના સંકેત તો નથી આપી રહ્યો ને !
હાર્દિક પટેલનું આ નિવેદન થોડા દિવસ પહેલાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ‘પાટીદાર એટલે ભાજપ’ના એવા આપેલા નિવેદનને પ્રતિક્રિયા સ્વરૂપે અપાયું છે હાર્દિક પટેલે કહ્યું હતું કે ‘ગુજરાતના વિકાસ માટે દરેક રાજકીય પાર્ટીએ તમામ સમાજને સાથે લઈને ચાલવું જોઈએ. દરેક વ્યક્તિએ વાદ-વિવાદ, ધર્મ, જાતિ -આ તમામ વસ્તુઓ ભૂલીને બધાને મદદ કરવી જોઈએ. હાર્દિક પટેલના આ નિવેદનથી પાટીદાર સમાજને લઈને તેના બદલાયેલા સૂર જોવા મળ્યા છે. હાર્દિક પટેલ કોંગ્રેસના નેતા છે અને હવે આગામી દિવસોમાં વર્ષ 2022ની ચૂંટણી આવી રહી છે ત્યારે સર્વ સમાજને સાથે રાખવાનું નિવેદન ખૂબ જ સૂચક અને રાજકીય હોય એવું લાગી રહ્યું છે.આગામી સમયમાં હવે માત્ર પાટીદાર નેતા ન રહેલા અન્ય સમાજ અને ધર્મ તરફ ઢળશે એવા સંકેત એમના આ નિવેદનથી મળી રહ્યા છે.એ જે ઘણું બધું સૂચવી જાય છે.
પાટીદાર અનામત આંદોલન સમિતિની હાર્દિક પટેલે રચના કર્યા બાદ એક આંદોલનકારી નેતા તરીકે અને પાટીદાર સમાજના પ્રશ્નોની લડત આપતો હાર્દિક પટેલ જોવા મળ્યો હતો. હાર્દિક પટેલની છાપ પાટીદાર નેતા તરીકે ઊપસી હતી, જેથી તેઓ માત્ર એક સમાજ પૂરતા મર્યાદિત રહ્યા હતા.હાર્દિક પટેલ હવે નેતા છે ત્યારે ગઈકાલે એમણે પણ ટકોર કરી હતી કે ‘પાટીદાર એટલે ભાજપ હોય તો મનસુખ માંડવિયાએ રાજકોટના કોમામાં રહેલા પ્રોફેસર વઘાસિયાની મદદે આવવું જોઈએ’. રાજકોટની સભામાં આવેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના ‘પાટીદાર એટલે ભાજપ’ના નિવેદનથી અનેક પાટીદાર નેતાઓએ અસહમતી દર્શાવી હતી. આ અંગે લેઉવા પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલે કહ્યું હતું કે પાટીદાર સમાજ ખૂબ જ મોટો સમાજ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વિચારધારાથી જોડાયેલો છે, જેથી મનસુખ માંડવિયાનું આ નિવેદન વ્યક્તિગત હોઇ શકે છે. તો એસપીજીએ પણ આ નિવેદન પર અસહમતી દર્શાવી હતી..
ઉલ્લેખનીય છે કે રાજકોટના કોઠારિયા રોડ પર રહેતા અને પોલિટેક્નિક કોલેજમાં પ્રોફેસર તરીખે ફરજ બજાવતા 31 વર્ષીય રાકેશ વઘાસિયા છેલ્લા 4 મહિનાથી કોમામાં છે, જેના ખબરઅંતર પૂછવા આજે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ આવી પહોંચ્યા હતા. તેમણે કોમાગ્રસ્ત પ્રોફેસરના પરિવાર સાથે વાતચીત કરીને તેમને રૂ.1 લાખ આપી આર્થિક સહાય પૂરી પાડી હતી. ત્યાર બાદ તેમણે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પાટીદાર સમાજ અંગે આપેલ નિવેદન અંગે મીડિયાને જણાવ્યું હતું કે ‘પટેલ સમાજ કોઈનો ગુલામ નથી, ભાજપ ખોટો ફાંકો કાઢી નાખે’
ઉલ્લેખકનીય છે કે પાટીદાર સમાજને અનામત મળે એ માટે આંદોલન કરી હાર્દિક પટેલ એક મોટા સામાજિક નેતા તરીકે ઉપસી આવ્યા હતા.બાદમાં કોંગ્રેસ સાથે જોડાઈ તે પ્રદેશ નેતા બન્યા હતા.પરંતુ પ્રદેશ નેતા બન્યા બાદ આવેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં જોઈએ એવું કોંગ્રેસને પરિણામ મળ્યું ન હતું, તેથી ગ્રામ્યસ્તરે હાર્દિક પટેલની લોકપ્રિયતા અંગે સવાલો ઊઠી રહ્યા હતા. હવે વર્ષ 2022ની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે માત્ર પાટીદાર સમાજ પૂરતું સીમિત રહેવું હાર્દિક પટેલને પોસાય એમ નથી, તેથી તેઓ હવે સર્વ સમાજને સાથે રાખવાની વાત કરતા હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.તો બીજી બાજુ એવી પણ ચર્ચા સામે આવી રહી છે કે આ વિધાન હાર્દિક પટેલના ભાજપના જોડાવાના એંધાણ તરીકે તો નથીને.કારણ કે ભાજપનું સૂત્ર છે ” સૌનો સાથ સૌનો વિકાસ” અને હવે હાર્દિક પણ એ જ રાગ આલાપી રહ્યા છે.