શું ભારત-પાક મેચમાં ખેલાડીઓ હાથ મિલાવશે? કેપ્ટન હરમનપ્રીતના એક જ જવાબે બોલતી બંધ કરી દીધી!

4 Min Read

એશિયા કપમાં પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવા અંગે કેપ્ટન હરમનપ્રીત કૌરનો સ્પષ્ટ જવાબ: ‘અમારું ધ્યાન માત્ર ક્રિકેટ પર’

મહિલા T20 એશિયા કપનો પ્રારંભ 28 ઓગસ્ટથી દુબઈમાં થઈ રહ્યો છે. આ આઠ ટીમોની ટૂર્નામેન્ટમાં હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ટાઈટલ જીતવા માટે સૌથી મજબૂત દાવેદાર ગણવામાં આવી રહી છે. ફેન્સ અને ક્રિકેટપ્રેમીઓની નજર ખાસ કરીને 5 સપ્ટેમ્બરે યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચ પર છે.

ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં 27 ઓગસ્ટે દુબઈ ખાતે યોજાયેલી તમામ ટીમોના કેપ્ટનોની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરને પાકિસ્તાન સામેની મેચ અને ખેલાડીઓ સાથે હાથ મિલાવવા (હેન્ડશેક) અંગે સવાલ કરવામાં આવ્યો હતો. હરમનપ્રીતે આપેલા સંતુલિત અને પરિપક્વ જવાબે આ મુદ્દે ચાલતી તમામ ચર્ચાને શાંત કરી દીધી છે.

- Advertisement -

કોઈ એક ટીમ પર નહીં, પરંતુ સમગ્ર ટૂર્નામેન્ટ પર અમારું વિઝન

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે માધ્યમો દ્વારા પૂછવામાં આવ્યું કે શું 5 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામેની મેચ બાદ ભારતીય ખેલાડીઓ પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સના કે તેમની ટીમ સાથે હાથ મિલાવશે, ત્યારે હરમનપ્રીતે સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું પણ ટીમના અભિગમને સ્પષ્ટ શબ્દોમાં રજૂ કર્યો હતો.

ind pak.jpg

- Advertisement -

હરમનપ્રીતે જણાવ્યું હતું, “અમે અમારું ધ્યાન કોઈ એક ચોક્કસ ટીમ પર કેન્દ્રિત નથી કરી રહ્યા, જે અમારા માટે મુશ્કેલ બની શકે. એશિયન ક્રિકેટમાં તમામ ટીમો સતત સારું પ્રદર્શન કરી રહી છે અને અમારો ધ્યેય માત્ર શ્રેષ્ઠ ક્રિકેટ રમવાનો છે. અમે કોઈ પણ વિરોધી ટીમને હળવાશથી લેવા માગતા નથી. રમત સિવાય બહારની અન્ય બાબતો પર ધ્યાન આપવાને બદલે અમારું મુખ્ય ધ્યાન માત્ર અને માત્ર ક્રિકેટ રમવા પર છે.”

હરમનપ્રીતના આ નિવેદનથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ભારતીય ટીમ બહારની બિનજરૂરી વિવાદો કે રાજકીય દબાણથી દૂર રહીને મેદાન પર પોતાના પ્રદર્શન પર જ ધ્યાન આપી રહી છે.

એશિયા કપ: દબાણ વચ્ચે પોતાને સાબિત કરવાની તક

- Advertisement -

ભારતીય કેપ્ટને વધુમાં ઉમેર્યું હતું કે એશિયા કપ જેવી મોટી ટૂર્નામેન્ટ ખેલાડીઓ માટે પોતાના કૌશલ્યને ચકાસવાનું શ્રેષ્ઠ મંચ છે.

“એશિયા કપ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમે વાસ્તવમાં તમારી જાતને ચકાસી શકો છો. અહીં એવા સ્તરનું દબાણ હોય છે જે તમને ટીમની અપેક્ષાઓ પૂરી કરવા માટે પ્રોત્સાહિત કરે છે,” તેમ હરમનપ્રીતે કહ્યું હતું. તેણીએ નોંધ્યું હતું કે છેલ્લા બે-ત્રણ વર્ષોમાં એશિયાની દરેક ટીમના પ્રદર્શનમાં મોટો સુધારો જોવા મળ્યો છે. કોઈ પણ ટીમ સામે જીતવું આસાન નથી રહ્યું, તેથી અનુભવ અને સાતત્ય પૂર્ણ પ્રદર્શન ટૂર્નામેન્ટ જીતવા માટે મહત્વપૂર્ણ રહેશે.

પરિસ્થિતિઓનો અનુભવ અને ભારતનું શેડ્યૂલ

ભારતીય ટીમ 26 ઓગસ્ટે દુબઈ પહોંચી હતી અને 28 ઓગસ્ટથી તેમણે પોતાની પ્રેક્ટિસ શરૂ કરી છે. દુબઈના ગ્રાઉન્ડ અને પીચની પરિસ્થિતિઓ વિશે વાત કરતા હરમનપ્રીતે કહ્યું, “અમારી પ્રથમ મેચ પહેલાં અહીં બે મેચ રમાઈ ગઈ હશે, જેથી અમને પીચના વર્તન અને સ્થાનિક પરિસ્થિતિઓને વધુ સારી રીતે સમજવાની તક મળશે. આ પરિબળ અમારા માટે સકારાત્મક સાબિત થશે.”

ind pak0.jpg

મહિલા T20 એશિયા કપના ગ્રુપ A માં સ્થાન પામેલી ભારતીય મહિલા ટીમના ગ્રુપ સ્ટેજ શિડ્યુલ નીચે મુજબ છે:

30 ઓગસ્ટ: ભારત વિ. થાઈલેન્ડ મહિલા ટીમ

3 સપ્ટેમ્બર: ભારત વિ. હોંગકોંગ ચીન

5 સપ્ટેમ્બર: ભારત વિ. પાકિસ્તાન મહિલા ટીમ

ભારતીય ટીમ પોતાની તમામ મેચો દુબઈના આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમશે. પાછલા મહિલા એશિયા કપની ફાઈનલમાં શ્રીલંકા સામે હારનો સામનો કર્યા બાદ, હરમનપ્રીતની સેના આ વખતે ટ્રોફી પોતાના નામે કરવા માટે પૂરા આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે.

Share This Article