ગાંધીનગરમાં આજે બપોરે ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાનારી છે.ત્યારે ભાજપ ધીમે ધીમે પોતાના પત્તા ખોલી રહી છે. અત્યાર સુધી ભાજપે નવા મંત્રીમંડળના નામ પર ગુપ્તતા જાળવી હતી.પરંતુ હવે ધીરે ધીરે એક પછી એક નામ સામે આવી રહયા છે. જે મંત્રીઓને મંત્રી પદ મળ્યુ છે, અને તેઓ આજે બપોરે શપથ લેશે શપથ લેનાર મંત્રીઓને ગાંધીનગરથી ફોન આવવાની શરૂઆત થઈ ગઈ છે. આજે ગાંધીનગરમાં 14 થી 16 રાજ્યકક્ષાના મંત્રીઓ શપથ લેશે.
પ્રાપ્ત માહિતી મુજબ
વડોદરા શહેરના ધારાસભ્ય મનીષા ભરૂચના દુષ્યંત પટેલ,વકીલ, ભાવનગર પશ્વિમના ધારાસભ્ય જીતુ વાઘાણી, કેશોદના ધારાસભ્ય દેવા માલમ, સુરતના મજૂરાના ધારાસભ્ય હર્ષ સંધવી, વીસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ, ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ, ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ, રાજકોટના અરવિદ રૈયાણી, પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, અમદાવાદના નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ, મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જામનગરના ધારાસભ્ય રાઘવજી પટેલ, અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમાર, પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર, મોરવા હડફના ધારાસભ્ય નિષીષાબેન સુથાર, ધારાસભ્ય જીતુ ચૌધરી, કાંકરેજના ધારાસભ્ય કીર્તિસંહ વાઘેલા, મહેમદાવાદ બેઠકના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, ભાવનગરના મહુવાથી આરસી મકવાણા, કુબેરસિંહ ડિંડોર, રાજેન્દ્ર ત્રિવેદી, કાંકરેજના ધારાસભ્ય કીર્તિસંહ વાઘેલા
વગેરેને આ અંગે ફોન આવ્યાનું જાણવા મળે છે