અમદાવાદમાં આજે મંગળવારે ફાયર વિભાગ દ્વારા શહેરના ૨ મલ્ટિપ્લેક્સ, ૫ થિયેટર અને ૯ સ્કૂલોને ફાયર સેફ્ટીને લઈ સીલ મારી દીધી છે. ડ્રાઇવ-ઇન રોડ પર હિમાલયા મોલમાં આવેલા કાર્નિવલ સિનેમા, એસજી હાઇવે પર આવેલા કે. શેરા શેરા, મકરબામાં આવેલા સીટી પલ્સ, મણિનગર મીરા સિનેમા સહિતના થિયેટરોને સીલ કરાયા છે. ઉપરાંત નવ જેટલી સ્કૂલોને પણ સીલ મારી દીધી છે.
અમદાવાદમાં ફાયર એનઓસીના રિન્યુઅલ અને ફાયર સેફ્ટીના અમલીકરણને લઈ ફાયર વિભાગ દ્વારા અવારનવાર હાઇરાઈઝ બિલ્ડિંગ, હોટલ, સ્કૂલો અને કોલેજાેને પત્ર લખી જાણ કરવામાં આવે છે. છતાં તેઓ દ્વારા કાર્યવાહી ન કરવામાં આવતા ફાયર વિભાગ દ્વારા કડક પગલાં ભરવાની શરૂઆત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ફાયર વિભાગે અમદાવાદ શહેરમાં આવેલી ૨૧૪ સ્કૂલોને બંધ કરવાની નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવી છે. વખતોવખત સમયમર્યાદામાં ફાયર એનઓસી રિન્યુ ન કરવામાં આવતા તેઓને ૭ દિવસની મર્યાદા સાથેની બિલ્ડિંગનો વપરાશ બંધ કરવા માટેની ક્લોઝર નોટિસ આપવામાં આવી છે. જેમાં નવરંગપુરાની નવરંગ માધ્યમિક સ્કૂલ, એલિસબ્રિજ સમર્થ ઈંગ્લિશ સ્કૂલ, ચાંદખેડા સરસ્વતી પ્રાથમિક શાળા, જગતપુર માતૃધામ આશ્રમ, શાળા, શેઠ અમુલખ પ્રિ સ્કૂલ, સરખેજની એપોલો પ્રાથમિક શાળા સહિતની ૨૧૪ જેટલી સ્કૂલોને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે.