ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો હાલ પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં બે દિવસથી પ્રવાસે છે.તેના જવાબમાં કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી તમામ આરોપને ફગાવી દીધા હતા. અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.
અરુણ જેટલીના કોંગ્રેસ ઉપરના પ્રહારો
– કોંગ્રેસ પોતાના મુદ્દાઓ વારંવાર બદલે છે
– ચૂંટણી આવી તો વિકાસ વિરોધી મુદ્દો લાવી
– આવું ચૂંટણી અભિયાન ક્યારેક સફળ ન થાય
– ગુજરાતની પ્રજા એક સારા ભવિષ્યની અપેક્ષામાં છે
– કોંગ્રેસે રંગ બદલ્યો છે, સામાજીક આધારે સમાજને વહેંચ્યો છે
– કોંગ્રેસને એવી તાકાતોનો મોહતાજ બનાવ્યો છે, જે રાજ્યમાં અરાજકતા ફેલાવે છે
– કોંગ્રેસનું નેતૃત્વ કાલ્પનિક વિચારો પર ચાલે છે
– ઉદ્યોગપતિઓના 1 લાખ 35 હજાર માફ કર્યા એનું ઉદાહરણ આપો
– સત્ય ઓછું બોલવું એક સ્વભાવ બની ગયો છે
– રાફેલ ડીલમાં સ્પષ્ટ હતું યુપીએ એક નોન પર્ફોર્મિંગ સરકાર હતી
– સેનાની શક્તિ કમજોર થઈ રહી હતી
– ફોજ એરફોર્સની પ્રાથમિકતા હતી કે તેને લેવામાં આવે
– ગર્વંમેન્ટ- ગર્વંમેન્ટ વચ્ચેનું ટ્રાન્ઝેક્શન હતું
– એ એવું ટ્રાન્ઝેક્શન હતું જે કોંગ્રેસના જમાનામાં થતું હતું, આમાં કોઈ ક્વોટ્રોચી ન હતો
– એરફોર્સને મજબૂત કરવા માટેનું ટ્રાન્ઝેક્શન હતું
– સોદો થયે અઢી વર્ષ થયા હતા આટલા વર્ષોમાં કોઈએ વાંધો ન ઉઠાવ્યો
– એપ્રિલ 2015નો સોદો ગુજરાત ચૂંટણીમાં ક્યાંથી યાદ આવ્યો
– કોંગ્રેસે યાદ રાખવું જોઈએ કે દેશની જનતા અને ગુજરાતની જનતા હોશિયાર છે
– અનામતનો ત્રણ દિવસ પહેલા ફોર્મ્યુલા બનાવ્યો, જે સંવૈધાનિક રીતે શક્ય નથી
– ના સંવિધાન અનુમતી આપે છે કે કાયદો, જે વાયદો કરે છે તે અને સ્વીકારનાર ગુજરાતની જનતા સાથે વિશ્વાસધાત કરે છે
– ચૂંટણી અંતે ગર્વનન્સને લઈને થશે


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.