ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ચૂંટણીને અનુલક્ષીને વડાપ્રધાન મોદીની મન કી બાત આ વખતે ખાસ છે. વડાપ્રધાન મોદી 38મી વખત મનની વાત કરી રહ્યા છે. ચૂંટણી પ્રચારમાં ભાજપના તમામ કેન્દ્રીય મંત્રીઓ અને નેતાઓ ગુજરાતના અલગ અલગ શહેરમાં ચાની ચુસ્કી લેતા લેતા આ કાર્યક્રમમાં જોડાશે. PM મોદીની મન કી બાત સાંભળશે પાર્ટી અધ્યક્ષ અમિત શાહ દરિયાપુર, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની જૂનાગઢ, પિયૂષ ગોયલ પોરબંદર, ધર્મેન્દ્ર પ્રધાન અને અરુણ જેટલી સુરતમાં મન કી બાતનું પ્રસારણ કાર્યકર્તાઓ વચ્ચે ચા પીતા પીતા સાંભળશે.
PM મોદીએ ટવીટ કરી કહ્યું કે, હું ખુબ જ ખુશ છું કે ગુજરાતમાં મતદાન કેન્દ્રો પર જઈ પક્ષના કાર્યકરો અને લોકો મોટી સંખ્યામાં મન કી બાત સાંભળશે, આ સાથે જ મોદીએ મોબાઈલ એપના માધ્યમથી પણ મન કી બાત સાંભળી શકાશે. જનતાના સુજાવ જાણવા મોદીએ જણાવ્યું કે 1800-11-7800 નંબર ડાયલ કરી તમારો સંદેશ રેકોર્ડ કરી અમારા સુધી પહોંચાડી શકશો
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આવતા મહિને બે તબક્કામાં થનારી વિધાનસભા ચૂંટણી માટેનું પ્રચાર કાર્ય હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગુજરાતની 182 બેઠકો માટે ભાજપના દિગ્ગજ નેતાઓ મેદનમાં ઉતરશે. વડા પ્રધાન મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રિય મંત્રીઓ સહિતના ટોચના નેતાઓ પ્રચાર અભિયાનમાં લાગી જશે. ભાજપે ચૂંટણી પ્રચાર માટે સ્ટાર પ્રચારકોની યાદી જારી કરી દીધી છે. આ યાદીમાં અમિત શાહ, કેન્દ્રિય મંત્રી અરુણ જેટલી, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત ઉમા ભારતી, સ્મૃતિ ઈરાની, ધર્મેન્દ્ર પ્રધાન, મનોજ તિવારી સહિતના વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.