પરેશ ધાનાણી અને અમિત ચાવડાના રાજીનામા હજી સુધી સ્વીકારવામાં નથી આવ્યા.રાજસ્થાનના મુખ્યમંત્ર અશોક ગેહલોતના નજીકના નેતાઓને પ્રદેશ પ્રમુખ કે વિપક્ષના નેતાનું પદ મળવાની પૂરેપૂરી શકયતાઓ છે.
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થયેલા કોંગ્રેસના કારમા પરાજય બાદ હવે ગુજરાતમાં કોંગ્રેસ ક્યાંય વિપક્ષના પદે પણ રહી શકે તેવી સ્થિતિમાં નથી. ત્યારે રાજ્યમાં કોંગ્રેસને ફરી બેઠી કરવા માટે રાજસ્થાનના આરોગ્ય મંત્રી ડો. રઘુ શર્માની પ્રદેશ પ્રભારી તરીકે નિમણુક કરવામાં આવી છે. પ્રદેશ પ્રભારી બાદ હવે પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાની પણ ટુંક જ સમયમાં નિમણુંક થાય તેવી શક્યતાઓ છે. ગુજરાતના નવા પ્રદેશ પ્રભારી રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતના નજીકના હોવાથી હવે ગેહલોતના ખાસ હોય તેમને જ ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા બનાવવામાં આવી શકે છે. હવે ગુજરાત કોંગ્રેસ રાજસ્થાનથી ચાલશે એવી ચર્ચાઓ કોંગ્રેસના કાર્યકરોમાં થઈ રહી છે.
ડૉ. રઘુ શર્મા
પ્રતિકાત્મક તસ્વીર
ડૉ. રઘુ શર્મા રાજસ્થાનના સીએમ ગેહલોતની નજીકના ગણાય છે
કોંગ્રેસના મહાસચિવ કે.સી વેણુગોપાલના નિવેદન મુજબ, કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રઘુ શર્માને ગુજરાતની સાથે દમણ અને દીવ અને દાદરા નગર હવેલી માટે કોંગ્રેસ પાર્ટી ના પ્રભારી તરીકે નિમણૂંક આપવમાં આપી છે. ડો રઘુ શર્મા હાલમાં રાજસ્થાન સરકારના આરોગ્ય મંત્રી તરીકે કામ કરી રહ્યા છે. અજમેર જિલ્લાની કેકરી વિધાનસભા સીટ થી તેઓ ધારાસભ્ય છે. પૂર્વ ગુજરાત કોંગ્રેસ પ્રભારી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની ખુબ નજીકના માનવામાં આવે છે. કોંગ્રેસ પ્રભારી તરીકે કામ કરતા રાજીવ સાતવનું કોરોના કારણે નિધન થતા ગુજરાતના પ્રભારીનું પદ ખાલી પડ્યું હતું. ઘણા લાંબા સમયથી અનેક નામ પર અટકળો ચાલી રહી હતી પરંતુ આખરે કોંગ્રેસે ગુજરાતના પ્રભારી તરીકે ડૉ. રઘુ શર્મા ના નામની જાહેરાત કરવામાં આવી છે..
પ્રતિકાત્મક તસ્વીર
પરેશ ધાનાણી અને અમિત ચાવડાના રાજીનામા હજી સુધી સ્વીકારાયા નથી
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાંસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રાજીનામા આપ્યા છે છતા હજુ સુધી તેનો સ્વીકાર કરાયો નથી. માનવામાં આવી રહ્યું છે કે નવા પ્રભારી તરીકે નિમણૂક થયા બાદ હવે ગુજરાત કોંગ્રેસમા ધરખમ ફેરફાર જોવા મળશે. પ્રદેશ પ્રમુખથી લઇ ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફાર જોવા મળશે. ગુજરાતમાં કોંગ્રસ છેલ્લા 25 વર્ષથી સત્તાથી દૂર રહી છે. 2015ની ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજના પરિણામ કોંગ્રેસ તરફ રહ્યા હતા.ત્યાર પછી લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાંથી એક પણ બેઠક મળી ન હતી. ત્યાર બાદ પેટા ચૂંટણીઓ અને થોડા દિવસો પહેલા યોજાયેલ ગાંધીનગર મહાનગર પાલિકા અન્ય તેમજ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો કારમો પરાજય થયો છે.
પ્રતિકાત્મક તસ્વીર
પ્રદેશ પ્રમુખ તરીકે કોઇ યુવા ચહેરાની અટકળો ચાલી રહી છે.
ગુજરાતમાં આગામી સાલમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ હાથ ધરાઇ ગઇ છે ત્યારે કોંગ્રેસના સિનિયર નેતાઓને કિનારે કરીને કોઇ યુવા ચહેરાને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે નીમવાની શકયતા ઓ જોવાઇ રહી છે.ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનું યુવા બળ નાપાસ થયું છે. હવે પક્ષના સિનિયર નેતાઓમાં જડમુળથી ફેરફારો કરવા માટેની ચર્ચાઓ થઇ રહી છે. ત્યારે હજી કોંગ્રેસ પ્રદેશ નેતાગીરી માટે યુવા ચહેરાઓની શોધમાં છે. જોકે કોંગ્રેસ આમાં કેટલી સફળ થશે એ તો આવનારો સમય જ કહેશે,પણ સિનિયરોની છેલ્લી ઘડીની ટાંટિયાખેંચને કારણે કોંગ્રેસને નુકસાન થતું હોવાથી હાઇકમાન્ડ યુવા ચહેરાને પ્રદેશ પ્રમુખ નીમવા માટેની તૈયારી કરી રહ્યુ હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે.