ગુજરાત રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શેક્ષણિક અને બિન શેક્ષણિક સ્ટાફ ચાલુ નોકરી મૃત્યુ પામે તો તેમના મદદ કરવામાં આવે છે.પણ હજુ સુધી 2004થી 2014 મૃત્યુ પામેલા આશ્રિતોને કોઈ મદદ કરવામાં આવી નથી.જેથી શાળા સંચાલક મંડળે મૃત્યુ થયેલા કર્મચારીઓના આશ્રિતોને સહાય મળે તે માટે સરકાર સમક્ષ માંગણી કરી છે. જોકે મૃત્યુ પામેલા કર્મચારીઓના આશ્રિતોને 17 વર્ષ સુધી કોઈ સહાય મળી નથી.
ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે શિક્ષણ વિભાગને પત્ર લખ્યો અને જણાવ્યું કે સરકાર ના નિયમ પ્રમાણે જ કર્મચારી ચાલુ નોકરીએ મૃત્યુ પામે તો તેમના આશ્રિતોને નાણાકીય મદદ કરવામાં આવે છે. સ્કૂલ ના કર્મચારી ઓ વર્ષ 2004થી 2014સુધીમાં મૃત્યુ પામ્યા હોય તો પણ તેમને કોઈ પણ પૈસા થી મદદ કરવામાં આવી નથી.
આપને જણાવી દઈએ કે રાજ્યમાં ચાલતી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ ચાલુ નોકરીએ ગુજરી જાય તેવા કિસ્સાઓમાં અગાઉ તેમના આશ્રિતોને નોકરી મળતી હતી. ત્યાર બાદ રાજ્ય સરકારે તે સિસ્ટમ બંધ કરી હતી. વર્તમાન સિસ્ટમ પ્રમાણે ચાલુ નોકરીએ ગુજરી જનાર કર્મચારીઓના આશ્રિતોને નોકરીની જગ્યાએ રોકડમાં ઉચ્ચક સહાય ચૂકવવામાં આવે છે.