અમદાવાદ માં વહેલી સવારે રેલવે ઓવરબ્રિજ પર વૃધ્ધે છલાંગ લગાવીને મોત ને વ્હાલ કર્યું અમદાવાદ શહેર માં આપઘાત ના સતત કેસોમાં વધારો જોવા મળી રહ્યા છે ત્યારે આજે અમદાવાદ માં એક વૃધ્ધે રેલવેના ના ઓવરબ્રિજ પરથી છલાંગ મારીને આપઘાત કર્યો
બીજી બાજુ અમદાવાદ શહેર માં એક સપ્તાહમાં ત્રણ આપઘાતના બનાવો નોંધાયા છે.
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ ત્રણ આત્મહત્યાના બનાવો નોંધાયા છે. જેમાં બે વ્યક્તિઓએ ગળું દબાવીને જીવ લીધો છે અને એક વ્યક્તિએ ઝેરી દવા પીને પોતાનો જીવ લીધો છે. સૈજપુર, વસ્ત્રાલ અને નરોડા વિસ્તારમાં બનેલી ઘટનામાં બે આધેડ અને એક વૃદ્ધે કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો
પૂર્વ સૈજપુર વિસ્તારમાં પ્રભાકર ટેનામેન્ટ પાસે નીલદીપ રેસીડેન્સીમાં રહેતા 50 વર્ષીય વ્યક્તિએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અન્ય એક ઘટનામાં, નરોડા વિસ્તારમાં અનિલ શોરૂમ પાસે રાજ મંદિર એપાર્ટમેન્ટમાં રહેતા 71 વર્ષીય વ્યક્તિએ 23 ઓક્ટોબરે ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગે નરોડા પોલીસે ગુનો નોંધ્યો છે. ત્રીજા બનાવમાં રાધે પાર્ક સોસાયટીમાં રહેતા 53 વર્ષીય વ્યક્તિએ વસ્ત્રાપાલમાં આરટીઓ સામે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હતી. જેમાં રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.