ટી-ગર્ડર પર બાંધકામના બહાને ધરોહર મકાનનો દેખાવ બદલી નખાય છે.અમદાવાદમાં છેલ્લા બે વર્ષના સમયગાળામાં 30થી વધારે ધરોહર મકાનો તોડી ને ત્યાં નવું સમારકામ કરી દેવાયું છે નઈતો ત્યાં માત્ર પ્લોટ પડ્યો છે. ધરોહ મકાનને પુન:નવીનીકરણ કરી ધરોહર ના દેખાવ સમાન બનાવવાની વાતો પર પર ટી-ગર્ડર બનતાં મકાનો ધરમૂળથી ધરોહર દેખાવ બદલી નાંખે છે.
મ્યુનિસિપલની સત્તાવાર સૂચિ પ્રમાણે શહેરમાં 2037 મિલકતોનો ધરોહરમાં સમાવેશ થાય છે. જેમાં 65 મિલકતોને સૌથી ગ્રેડ-1માં સમાવેશ થયો છે. તો 425 ગ્રેડ-2 એ વર્ગમાં સમાવેશ થયો છે. તો 1543 મિલકતોનો ગ્રેડ-3માં સમાવેશ થયો છે. શહેરની 175 પોળમાં આ 2039 મિલકતો ધરોહરછે. જોકે છેલ્લા બે વર્ષમાં જ 30 થી વધારે મકાનો પડી ગયા છે. જોઈ શકાય કે 2019માં જ મ્યુનિ. દ્વારા આ રીતે ધરોહર મકાનો તૂટીને તેના બદલે અડધા મકાનો બની ગયા હોય તેવા 30 મકાનોને નોટિસ આપીને તોડી નાખ્યા હતા .
મકાનના સમારકામ માટે મંજૂરી મળ્યા પછી તે ધરોહર રહેતાં નથી
શહેરમાં અનેક ધરોહર મકાનોના માલિક જ્યારે સમારકામ માટે મંજૂરી માગે છે પછી અનેક કિસ્સામાં તો તેનો દેખાવ ધરોહર જેવો રહેતો જ નથી. આવા મકાનોનો પછી વેવસાય તરીકે ઉપયોગ કરાતો હોય છે. જમાલપુરમાં ઘાંચીની પોળમાં બિલ્ડિંગને ટી-ગર્ડર પર પુનઃનિરમાળ ની મંજૂરી આપ્યા બાદ તેનો દેખાવ બદલાઈ ગયો છે.
2016 બાદ ધરોહર કમિટીને રિન્યુ કરવા કાર્યવાહી થઈ નથી
આરટીઆઇ એક્ટિવિસ્ટ પંકજ ભટ્ટે જણાવ્યું કે, સામાન્ય રીતે હેરિટેજ કન્ઝર્વેશન કમિટી બનાવવા માટે મ્યુનિ. કમિશનર દ્વારા શહેરી વિકાસ વિભાગને વાત કરાય છે. આ સમિતિને પ્રતિ બે વર્ષે રિન્યુ કરાય છે. અને આરટીઆઇ હેઠળ મળેલી માહિતી પ્રમાણે 2016 બાદ આ કમિટીને રિન્યુ કરવા માટે કોઇ કાર્યવાહી થઇ નથી.