વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષે 31મી ઓક્ટોબરના દિવસે રિવરફ્રન્ટથી સી-પ્લેનમાં ઉડાન ભરી હતી અને યોજના શરુ કરી હતી.પણ આ સર્વિસ શરૂ થયાના પછી એક જ મહિનામાં બંધ થઇ ગઈ હતી. મેઇન્ટેનન્સ માટે 9 એપ્રિલે માલદિવ્સ ગયેલું સી-પ્લેન અજી સુધી પાછું આવ્યું નથી. બીજી બાજુ , વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં જ ગુજરાત સરકાર દ્વારા લોકો માટે એરએમ્બ્યુલન્સ, રિવરફ્રન્ટથી નર્મદાના કેવડિયા સુધીની સી-પ્લેન સુવિધા, ધાર્મિક સંસ્થાનો સુધી હેલિકોપ્ટરની સુવિધા અને લોકોના આનંદ માટે હેલિકોપ્ટરની જોયરાઈડ્ઝ શરૂ કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
રાજ્યના પ્રવાસન વિભાગ અને સિવિલ એવિએશન વિભાગ એકબીજા સાથે મળીને તૈયારીઓ કરી રહ્યા છે, જે છેલ્લા તબક્કામાં છે. રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓના મૂજબ , આ તમામ પ્રક્રિયા માટે એરપોટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને કેન્દ્ર સરકારની અન્ય એજન્સીઓ પાસેથી પરવાનગી મેળવાઈ છે. આ તમામ આકર્ષણો જાન્યુઆરીમાં શરૂ થનારી વાઈબ્રન્ટ સમિટ પહેલાં શરૂ કરાશે. વર્ષ 2019માં રાજ્ય સરકારે 191 કરોડની કિંમતે બોમ્બાર્ડિઅર ચેલેન્જર 650 એરક્રાફ્ટની ખરીદી કરેલી છે. આ પહેલાં 20 વર્ષ સુધી બીચક્રાફ્ટ સુપરકિંગ વિમાન મહાનુભાવોની સુવિધામાં કાર્યરત હતા. હવે આ વિમાનોને હવે એરએમ્બ્યુલન્સમાં પરિવર્તિત કરાશે. આ માટેની તમામ પરવાનગી મળી ગઈ છે .
ગુજરાતના પવિત્ર સ્થળો જેવાં કે દ્વારકા, સોમનાથ અને અંબાજીમાં હેલિપોર્ટ બનાવવાની યોજના પછી રાજ્ય સરકાર બંધ થયેલું સી-પ્લેન ફરીથી શરૂ કરવા જઈ રહ્યું છે. કોરોના ના સંક્રમણના કારણે તેમજ સી-પ્લેન સમારકામ માટે મોકલવામાં આવ્યું આથી સી-પ્લેન બંધ રાખવામાં આવ્યું હતું. અમદાવાદના રિવરફ્રન્ટથી કેવડિયા કોલોની જતા આ સી-પ્લેનની સર્વિસ ફરી શરૂ કરવા માટે રાજ્યના સિવિલ એવિયેશન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે અને યાત્રાધામોમાં પ્રવાસોની સુવિધા માટે હેલિપોર્ટ બનવામાં આવી રહ્યા છે ,ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જતા પ્રવાસીઓ માટે સી-પ્લેન ફરીથી ઉડવાની તૈયારીમાં છે.
અમદાવાદના રિવરફ્રન્ટથી કેવડિયા જતું સી-પ્લેન બંધ થઇ જતા ભાવનગર જિલ્લામાં પાલિતાણા પાસે શેત્રુંજી જળાશયમાં અને મહેસાણા પાસે ધરોઇ ડેમ પાસે શરૂ થનારી સી-પ્લેનની સર્વિસમાં ફરી એકવાર અર્ચણ થયો છે. આ બન્ને સર્વિસ સ્પાઇસજેટ કંપની ચાલવાની હતી. હવે રાજ્યના કેબિનેટ મંત્રીએ રિવરફ્રન્ટથી કેવડિયાની સી-પ્લેન સર્વિસ ફરીથી શરૂ કરવાની જાહેરાત આપી, પણ માલદિવ્સ ગયેલું પ્લેન પાછું આવશે કે બીજી કોઇ કંપનીના નવા સી-પ્લેનની સેવા લેવાશે કે નહિ તે કોઈ જાણ નથી.
31મી ઓક્ટોબર 2020માં રિવરફ્રન્ટથી કેવડિયા સુધી આ સી-પ્લેન શરૂ કરવામાં આવ્યું હતું .આ સેવામાં એકસાથે 19 લોકો બેસી શકે છે. અત્યારસુધીમાં 2500 જેટલા લોકોએ એમાં મુસાફરી કરી છે આઘાતજનક બાબત એવી છે કે આ સેવા શરૂ થયા પછી અત્યાર ઘડી 300થી વધુ દિવસો સુધી બંધ રહી છે, કારણ કે એના એરક્રાફ્ટને સમારકામ માટે માલદિવ્સ મોકલવામાં આવ્યું છે.
વિજય રૂપાણીની સરકારમાં સિવિલ એવિયેશન વિભાગ સંભાળતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કેન્દ્રના એવિયેશનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને એક પત્ર લખીને ગુજરાતમાં સી-પ્લેન ખરીદવા 120 કરોડ રૂપિયાની માંગ કરી , પરંતુ સરકારમાં નેતૃત્વ પરિવર્તન થતાં હવે નવી સરકારમાં ફરીથી માગ કરવાની થાય છે. રાજ્યના સિવિલ એવિયેશનમંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું કે તેઓ સી-પ્લેનની માંગ પર ફટાફટથી નિર્ણય લેવાય એ માટે પ્રયત્ન કરશે . એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગત વર્ષે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ગુજરાતમાં સી-પ્લેન માટે સાબરમતી રિવરફ્ન્ટ, કેવડિયા, ધરોઇ ડેમ અને તાપીમાં વોટર એરોડ્રામ બનાવવામાં આવશે. સી-પ્લેન લેન્ડ થઇ શકે એ માટે પાણીમાં 800થી 900 મીટર જેટલી જગ્યાની જરૂર પડે છે.