અમદાવાદમાં દિવાળીનો તહેવાર પુરો થયો અને એક બાજુ કોરોનાના કેસોમાં વધારો થયો છે. કોરોના વધતાં આરોગ્ય તંત્ર પણ ચિન્હતીત થયા છે . બીજી બાજુ શહેરમાં ફરીવાર કન્ટેનમેન્ટ ઝોનનો બનાવામાં આવ્યા છે. હવે કોરોનાની ત્રીજી લહેર માટે પોલીસ ફરી એક વખત આગળ આવી છે શહેરના પૂર્વમાં પ્રવેશ બિંદુ પર ચેક પોસ્ટ બનાવવામાં આવી છે. તેની સાથે વાહન ચાલકોને માસ્ક અને સેનેટાઈઝર પણ પોલીસ દ્વારા આપવામાં આવી રહ્યું છે. પોલીસકર્મીઓ રસ્તા પર જતા લોકોને સમજાવી રહ્યાં છે કે થોડું ધ્યાન રાખવાથી કોરોનાથી બચી શકાય છે.
અમદાવાદ શહેરમાં કોરોના ફરીથી શરૂ થયો છે. અત્યારે ઈસનપુર વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસોનો લઈને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. આથી AMCએ શહેરીજનોને સાવધાન થઈ જવા કહ્યું છે .જેવી રીતે લોકડાઉનમાં પોલીસે પોતાની જિમ્મેદારી નિભાવી હતી. તેવી જ રીતે હવે અમદાવાદ શહેરમાં પોતાની જીમમ્મેદારી સમજીને લોકોને સમજાવવા માટે પોલીસ રસ્તા પર ઉતરી છે.
શહેરના મણિનગર તેમજ ખોખરામાં પોલીસે રસ્તા પર ઉભા રહીને લોકોને સાવચેતી રાખવા માટે કાર્યો શરૂ કાર્ય છે . નેશનલ હાઈવે નંબર-8 પર ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તરમાં તેમજ મણિનગર જવાહર ચોક ચાર રસ્તા પર પોલિસના જવાનો દ્વારા વાહનચાલકો તેમજ રાહદારી ઓને માસ્ક અને સેનેટાઈઝની બોટલોનું વિતરણ કરીને શહેરીજનો ને જાગૃત કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે.
મણિનગર પોલિસ સ્ટેશનના PSI દેસાઈ વાઘજીભાઈ અને ખોખરા પોલિસ સ્ટેશનના PSI આર એન ચુડાસમા અને તેમના સ્ટાફ દ્વારારસ્તા પર વિશેષ જનજાગુતિ અભિયાન કરવામાં આવ્યું અને નાગરિકોને જાગૃત કરીને માસ્ક પહેરવાની અપીલ કરી હતી. કોરોનાની સેકન્ડ વેવમાં પોલીસની કામગીરી વખાણને લાયક હતી. ત્યારે આ વખતે સેકન્ડ વેવનું જેમ ખરાવ સ્થિતિ ન થાય તે માટે લોકો ને જાગૃત રહેવા કહેવામાં આવ્યું.