અમદાવાદમાં પ્રેમ લગ્ન કરીને પતિ સાથે રહેનાર પરીણિતાએ લગ્નના 13 વર્ષ બાદ આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ચાર સંતાનોની માતાએ અગાઉ પણ પતિના ત્રાસના કારણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સંતાનોની ચિંતાના કારણે તેણે પગલુ ભર્યું નહોતું. ગઈ 7 તારીખે નદીમાંથી એક લાશ મળતાં આ લાશ સમીમબાનુની હોવાનું સામે આવતાં પોલીસે તેના પતિ વિરૂદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને અટકાયત કરી છે.
અમદાવાદમાં સમીમબાનુ નામની મહિલાએ બાર 13વર્ષ પહેલાં વટવામાં રહેતાં અબ્દુલ માજિદ અન્સારી નામની યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં. લગ્નજીવન દરમિયાન મહિલાએ ચાર સન્તાનો જન્મ આપ્યો હતો. જેમાં ત્રણ દિકરા અને એક દિકરી છે. આ યુવતીએ પ્રેમ લગ્ન કર્યાં હોવાથી તેના પિયરીયાઓ તેને બોલાવતા નહોતા. પરંતુ દીકરીને જન્મ્યા બાદ તેને પિયરપક્ષે બોલાવાનું ચાલુ કરી દીધું હતું
લગ્નના બે ચાર વર્ષ સુધી તેના પતિએ તેને સારી રીતે રાખી હતી. પણ બાદમાંઝગડા કરીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પત્નીને નાની નાની બાબતોમાં ઝગડો કરીને ત્રાસ આપતો હતો. જ્યારે જ્યારે સમીમબાનુ પિયર જાય ત્યારે તેના પતિના ત્રાસની ફરિયાદ કરતી હતી.સંસાર ના બગડે તે માટે તેના ઘરવાળા સમજાવીને પાછા મોકલતા હતાં. છતાંય તેનો પતિ તેને વાયર અને પટ્ટાથી મારઝૂડ કરતો હતો.
સમીમબાનુએ તેના પતિ વિરૂદ્ધ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ત્યાર બાદ તેનો પતિ તેને છુટા છેડા અપાવવાનું કહીને લઈ ગયો હતો. સમીમબાનુને પતિ પિયરમા જવા નહોતો દેતો. જેથી તે સતાઈને પીયરમાં જતી હતી. સમીમબાનુએ પરિવારજનોને એવું પણ જણાવ્યું હતું કે તેનો પતિ કોઈ અજાણી સ્ત્રી સાથે વાત કરે છે અને પૂછવા જાય છે તો તેને મારતો હતો સમીમબાનુનો પતિ તેને કોઈ એવી દવા આપતો જેથી તેને કંઈ પણ યાદ પણ રહેતું નહોતું અને સતત માથામાં દુખાવો થયા કરતો હતો. થોડા માસ પહેલા સમીમબાનુએ ફાસો ખાઈ આપઘાત નો પ્રયત્ન કર્યો પણ બાળકોની ચિંતા થતા જ તે આપઘાત કરતા રોકાઈ ગઈ
ગત 4 તારીખના રોજ આ સમીમબાનુ પિયર આવી અને તેના પતિએ માર મારતા નાકની ચુની તૂટી ગઈ અને ત્યારબાદ. 6 તારીખના રોજ ઘરેથી શાક લેવાનું કહી નીકળી હતી પણ ઘરે પાછી ન આવતા તેની શોધખોળ કરવા નીકળી ગયો વોટ્સએપ મારફતે એક મહિલાની લાશ નદીમાંથી મળી હોવાનું જણાવતા તમામ લોકો ત્યાં પહોંચ્યા ત્યારે લાશ સમીમબાનુની હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે સમગ્ર મામલે મૃતક સમીમબાનુના પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી અટકાયત કરી છે.