શહેરમાં રહેતા એક વેપારી કામ પતાવીને પરત જતા હતા. ત્યારે મોડી રાત્રે કિન્નરના સ્વાંગમાં રહેલા એક વ્યક્તિએ લિફ્ટ મદદ માંગી આ વેપારીને ઘરે મૂકી જશો તેમ કહીને મદદ માંગી અને વેપારીએ મદદ કરી હતી. પણ મદદ કરવામાં આ વેપારીને એક ગલીમાં લઈ જઈ કિન્નરના સ્વાંગમાં આવેલ વ્યક્તિએ તેની સાથેના શખ્સ સાથે મળી વેપારીને ખોટા આરોપમાં ફસાવી દેવાની ધમકી આપી લૂંટીને નાશી ગયા. સમગ્ર બાબતને લઈને વેપારીએ ફરિયાદ નોધાવી પોલીસે તપાસ હાથ ધરી છે.
ચિલોડા પાસે રહેતા કમલભાઈ મોરવાણી રતનપોલમાં બંગડીઓનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત ઓક્ટોબર માસમાં તેઓ દુકાનેથી કામ પતાવી કાલુપુર તરફ નીકળ્યા હતા જ્યાં કામ પતાવી ઘર તરફ જતા હતા. મોડી રાત્રે સાડા બારેક વાગ્યે તેઓ નરોડા પાટિયા પાસે પહોંચ્યા ત્યારે રસ્તામાં એક કિન્નરના સ્વાંગમાં ઉભેલા વ્યક્તિએ હાથ બતાવતા કમલભાઈએ તેમનું વાહન રોકયું હતું.
મોડી રાત્રે કોઈ રિક્ષા ન મળતા યુવકે મદદ કરી હતી
કિન્નરના સ્વાંગમાં રહેલ વ્યક્તિએ ઘરે જવાનું મોડું થઈ ગયું હોવાથી મદદ માંગી અને કોઈ રિક્ષાવાળા આવવા તૈયાર ન હોવાથી કમલભાઈએ તેઓને મદદ પુરી પાડી હતી. બાદમાં કમલભાઈ આ કિન્નરના સ્વાંગમાં રહેલ વ્યક્તિને વાહન પર બેસાડી ત્યાંથી નીકળ્યા હતા. આ શખ્સે નરોડા બેઠક તરફ વાહન લઈ જવાનું કહેતા કમલભાઈ તે તરફ જતા હતાં. ત્યાં નરોડા જીઆઇડીસીની ગલીમાં વાહન લેવાનું કહેતા પોસ્ટ ઓફિસ આવી અને બાદમાં ત્યાં જ એક શખ્સ આવી અને મદદ માંગી
આ શખ્સે મારી બહેનને કેમ ફરવા લઈ ગયો હતો કહીનેઝગડો કરી દીધો ત્યાં સુધી તો.કમલભાઈએ જણાવે છે કે, માસીબા એને મદદ માંગી હતી જેથી તેઓને ઘરે મુકવા જતો હતો. પણ કિન્નર ના સ્વાંગમાં રહેલ વ્યક્તિ અને સાથેના શખ્સે ધમકી આપતા કહ્યું કે તારી જોડે જે પણ હોય તે બધું મને આપી દે નહિ તો ખોટા કેસમાં ફસાવી દઈશ અને ધમકીઓ આપવાની શરૂઆત કરી હતી. આ બને શખ્સોએ બાદમાં કમલભાઈને મારઝુંડ કરીને ઝપાઝપી કરી અને બે વીંટી અને રોકડા સહિત 35 હજારની મતા લૂંટી લીધી હતી. સમગ્ર બાબતે તપાસ કરતા લિફ્ટ માગનારનું નામ નિરજ ઉર્ફે નીલુમાસી વણઝારા હોવાનું સામે આવ્યું હતું. આખરે કમલભાઈએ આ મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા હવે પોલીસે તપાસ હાથ ધરી .