અમદાવાદના મેઘાણીનગરમાં પ્રેમના મામલે મારા મારી થઇ હતી. જેમાં પ્રેમી યુવકના મામાએ લગ્ન કરવાની ના પડતા પડોશમાં રહેતા ચાર યુવકના મામા મામીને માર્યા હતા.અને મકાન ઉપર પથ્થરમારો કરીને મકાનમાં જાનહાની કરી હતી. શહેરમાં મેઘાણીનગરમાં ચમનપુરામાં ગાંડાલાલ વિઠ્ઠલદાસ ભોજકની ચાલીમાં રહેતા વ્યક્તિએ પડોશમાં રહેતા ચાર શખ્સો સામે ગુન્હો નોંધાવ્યો છે.
ફરિયાદી ભાણીયાને પાડોશમાં રહેતી છોકરી સાથે પ્રેમ સંબંધમાં હતો. પછી બંને જણાના પરિવારોએ લગ્ન કરવનો નિર્ણય કર્યો હતો . પણ ફરિયાદીએ કોઈ વાતને લઈને લગ્ન કરવા માટે ના પડી હતી જેથી સામેના લોકો રોષે ભરીને ફરિયાદીના ઘરે પહોંચ્યા હતાં. આ સમયમાં તેમણે ફરિયાદીને કહ્યું હતું કે, કેમ તું લગ્ન કરાવવા નો ઇન્કાર કરે છે. ત્યારે ફરિયાદીએ કહ્યું હતું કે, તેમના ભાઈ જૂનાગઢ પરિક્રમામાં ગયા હોવાથી તે આવે પછી સમાજમાં બેસીને વાતચીત કરીશું. બસ આટલું સાંભળીને જ પાડોશમાં રહેતા ચાર શખ્સો ઉશ્કેરાઈ ગયા હતાં.
આરોપીઓ રોષે ભર્યાહતાં. દોશી ઓએ મકાન પર પથ્થરમારો કરતાં ફરિયાદીના બરડામાં અને સાથળના ભાગે ઈજા પહોંચી હતી. એટલું જ નહીં ફરિયાદીના પત્નીના કપાળે પણ એક પથ્થર વાગતાં લોહી નીકળ્યું હતું. બીજી બાજુ મકાન પર પથ્થરો ફેંકતા બાથરૂમનો દરવાજો તૂટી ગયો હતો. તેમજ મકાનના છતના પતરાંને પણ આરોપીઓએ પથ્થરો મારીને તોડી નાંખીને 10 હજાર રૂપિયાનું નુકસાન કર્યું હતું.
આ દરમિયાન ચાલીમાં રહેતા લોકો ભેગા થઈ ગયાં હતાં. જગડા વચ્ચે જોરજોરથી ગંદી ગાળો બોલીને ફરિયાદીના ઘર પર પત્થરમારો કરનાર શખ્સો ત્યાંથી ભાગી ગયા હતાં. ઈજાગ્રસ્ત ફરિયાદી અને તેમની પત્નીએ પોલીસને ફોન કર્યો હતો. પછી તેમણે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં જઈને પાડોશમાં રહેતા ચારેય શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.