સુભાષબ્રિજ આરટીઓના નવા બિલ્ડિંગનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મુહૂર્ત કરાયું છે. નવા બિલ્ડીંગ બન્યા પછી દરરોજ એક હજાર ડ્રાઇવિંગ ટેસ્ટ લઇ શકાશે.આરટીઓની ડિઝાઈન એરપોર્ટ પેટર્નથી બનાવાશે છે અને આખું બિલ્ડિંગ એસી વાળું રહેશે.
સુભાષબ્રિજ આરટીઓનું નવું ચાર માળનું બિલ્ડિંગ આવનારા 11 મહિના માં બની થઈ જશે. બિલ્ડિંગમાં વાહન અને લાઇસન્સ સંબંધિત કામ માટે જુદા જુદા વિભાગો, અરજદારો-કર્મચારીઓ માટે બે દરવાજા અને દરવાજે આગળ સાઇન બોર્ડ મુકાશે. બિલ્ડિંગના વેઇટિંગ એરિયામાં 600 લોકો બેસી શકે તેવી સુવિધા, જાત જાતના સેવાના કાઉન્ટર અને સર્વિસની સુવિધા પણ હશે. બિલ્ડિંગના પ્રાંગણમાં 350 ટુવ્હીલર અને 250 કાર પાર્કિંગ કરી શકાશે. આરટીઓનો સમગ્ર વિસ્તાર સીસીટીવીથી સજ્જ રહેશે. બિલ્ડિંગનુું વીજબિલ ઘટાડવા સોલાર સિસ્ટમનો ઉપયોગ કરાશે. આરટીઓ અધિકારીએ કહ્યું કે, બિલ્ડિંગ બન્યા બાદ તે વખતની સ્થિતિને ધ્યાને રાખીને સુધારા-વધારા કરાશે.
દોઢથી બે મહિનાનાે વેઇટિંગ ટાઇમ ઘટશે
નવી આરટીઓમાં વાહનના ત્રણ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે. ત્રણેય ટેસ્ટ ટ્રેક સેન્સરબેઝ ઓટોમેટિક હશે. લોકોને વેલા તકે એપોઇન્ટમેન્ટ મળી જશે. હાલ દોઢ-બે માસ રાહ જોવી પડશે .આ સુવિધા પછી રાહ જોવાનો સમય પણ ઘટી જશે.