અોખી વાવાઝોડાની અસરથી ગઇકાલે રાત્રે અનેક વિસ્તારોમાં વરસાદી ઝા૫ટા વરસ્યા છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોથી લઇને છેક અમદાવાદ સુઘી તેની અસર જોવા મળી છે. તેમજ અમદાવાદમાં ૫ણ હળવા વરસાદી છાંટા વરસી રહ્યા છે. આ ઉ૫રાંત સુરત, નવસારી અને વડોદરા જેવા શહેરોમાં ૫ણ કમોસમી વરસાદનો માહોલ સર્જાયો છે.
અોખી વાવાઝોડું આજે રાત્રે સુરત નજીકના સમુદ્ર કિનારા પરથી ડીપ ડીપ્રેશન તરીકે પસાર થયું હતું. હવામાન વિભાગે અગાઉથી જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ ૫ડવાની સંભાવના વ્યક્ત કરી હતી. ઓખી વાવાઝોડાના આગમનની અસર ગત રાતથી જ જોવા મળી છે. અને આજે દિવસભર તેની અસર રહેશે. આજે મધરાતે વાવાઝોડું ત્રાટક્યા પછી પણ તા. 6 સુધી તેની અસર ચાલુ રહેશે. આ બન્ને દિવસો દરમ્યાન દરિયો તોફાની બની રહેશે. જો કે માછીમારોને ગઇકાલથી ચેતવણી આપી દેવામાં આવી છે અને બધાને દરિયોન ખેડવા તાકીદ કરાઈ છે. આ વાવાઝોડાની અસરથી ગુજરાતભરમાં આકાશ વાદળોથી ઘેરાઇ ગયું હતું અને અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, નવસારી, ભાવનગર, અમરેલી વગેરે શહેરોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. અમદાવાદમાં ગત રાતથી વરસાદ શરૂ થયો છે.તંત્ર દ્વારા એલર્ટ અપાયું છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.