ગુજરાત રાજ્યમાં દારૂબંધી ને લઈ અનેક દાવા કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી દ્વારા ગુજરાત રાજ્યના ડી.જી.પી.અને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર ને આદેશ આપવામાં આવ્યા છે કે જે ખૂણે દારૂ અને જુગારની ગેરપ્રવૃત્તિ ચાલતી હોય તે તાત્કાલિક અસર થી નાબૂદ કરવી અને ગુનેગારો ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવી.પરંતુ અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદ પોલીસ કમિશ્નર ની એક અલગ ટીમ બનાવવામાં આવી છે જે પી.સી.બી. ની ટીમ છે તે આખા અમદાવાદના ખૂણે જઈ દારૂ જુગાર બંધ કરાવી શકે છે પરંતુ અહીં અમદાવાદ શહેરની વાસ્તવિકતા જ કંઈક અલગ જોવા મળી રહી છે.
અહીં આજે વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની શાન ગણાતા રિવરફ્રન્ટ ની કે જ્યાં અનેક પરિવારો અહીં બાળકો ને લઈ ને ફરવા આવે છે અને સવારે અનેક લોકો મોર્નિંગ વોક કરવા પણ આવે છે જ્યાં હવે બની ગયું છે દારૂ જુગારનું હબ સેન્ટર. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના પી.આઈ.અને વહીવટદાર મહેન્દ્રસિંહ દ્વારા આ દારૂ અને જુગારના સ્ટેન્ડ ની પરમિશન આપવામાં આવેલી છે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.જો આવી રીતે ખુલ્લેઆમ દેશી દારૂ ની ભઠ્ઠી અને જુગરનો ધંધો અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ મોઢેરા સ્ટેડિયમની પાછળ ના નદી કિનારાના વિસ્તારમાં ચાલી રહ્યો હોય અને પોલીસ ની નજરમાં ના આવે તે વાત કેવી એ પણ સ્થાનિકો માં ચર્ચાનો વિષય બન્યું છે.રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના પી.આઈ.અને વહીવટદાર મહેન્દ્રસિંહ દ્વારા આ દારૂ અને જુગારના અડ્ડા ઉપર કોઈ જ પ્રકાર ની કાર્યવાહી નહીં કરતા રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના પી.આઈ.અને વહીવટદાર મહેન્દ્રસિંહ ઉપર પણ અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.બીજી તરફ વાત કરવામાં આવે તો વહીવટદાર મહેન્દ્રસિંહ ને તો એટલો બધો રોફ જમાવવા જોઈએ છે કે પોતે જ તે ઝોન ના ડી.સી.પી. હોય તેવી રીતે પોલીસ સ્ટેશનના સ્ટાફ જોડે વર્તન કરે છે.તાજેતરમાં જ આ રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ચાલતા જુગારના અડ્ડા ઉપર ઝોન 1 ડીસીપી ના સ્કોર્ડ દ્વારા રેડ પણ કરવામાં આવી હતી પરંતુ લોકમુખે એવું ચર્ચાઈ રહ્યું છે કે વહીવટદાર મહેન્દ્રસિંહ દ્વારા કોને ફોન કરવામાં આવ્યો કે જેથી ઝોન 1 સ્કોર્ડ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવી અને જુગરનો અડ્ડો ચલાવતા ગુનેગાર ને છાવરી અને છોડી દેવામાં આવ્યો હતો.તો હવે સવાલ એ પણ ઉભા થવા પામ્યા છે કે ઝોન ના ડીસીપી મોટા કે વહીવટદાર મહેન્દ્રસિંહ મોટા ? જો ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને ગુજરાત રાજ્યના ડીજીપી દ્વારા ઉચ્ચ સ્તરે તપાસ કરવામાં આવે તો રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના પી.આઈ. અને વહીવટદાર મહેન્દ્રસિંહ ની બહુ મોટી પોલ ખુલી શકે તેમ છે અને સ્થાનિકો માં એ પણ રોષ છે કે આ પોલીસ સ્ટેશનના પી.આઈ. અને વહીવટદાર મહેન્દ્રસિંહ ઉપર તાત્કાલિક પગલાં ભરવાની માંગ ઉઠવા પામી છે.
નોંધ : બુટલેગરના નામ અને સરનામની વિગત વાંચતા રહો અમારા આવતા આર્ટિકલમાં
5
/ 100
SEO સ્કોર