2012માં સરિતા આર્ય નૈનીતાલ ધારાસભ્યની બેઠક પર રહી ચુક્યા છે અને આ બેઠક પર રહીને ટિકિટનો દાવો કરી રહ્યા હતા.પરંતુ યશપાલ આર્યના દીકરા સંજીવ આર્ય કોંગ્રેસમાં સામેલ થયા બાદ તેમની દાવેદારી નબળી પડી ગઈ.જેના કારણે તાજેતરમાં જ તેમણે કોંગ્રેસ હાઈકમાનને મહિલાઓને ટિકિટ ન આપવાનું ધારી લીધું.ઉત્તરાખંડમાં ચૂંટણી પહેલા કોંગ્રેસને ભારે મોટો ઝાટકો લાગ્યો છે સરિતા આર્ય બાગી બનીને મહિલા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ભાજપમાં સામેલ થયા.સરિતા આર્ય ભાજપમાં સામેલ થઈ ગયા અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિકે દેહરાદૂન ખાતે તેમને પાર્ટીની સદસ્યતા અપાવી હતી.
સરિતા આર્યની સાથે જ મહિલા પ્રદેશ ઉપાધ્યક્ષ રેખા બોરા ગુપ્તા અને વંદના ગુપ્તા પણ ભાજપમાં સામેલ થયા છે.આ ઘટના કોંગ્રેસ માટે મોટા આંચકારૂપ માનવામાં આવે છે.દેશમાં લોકશાહી છે દરેક વ્યક્તિ પોતાના માટે વિચારવા સ્વતંત્ર છે. તેમના આ નિવેદનના અનેક રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા હતા હકીકતે ભાજપના નેતાઓ સાથેના સમાચાર બાદ એ વાતની ચર્ચા જોરમાં આવી હતી કે તેઓ ભાજપમાં સામેલ થઈ શકે છે.જોકે ગઈકાલે જ તેમણે એ વાતનું ખંડન કર્યું હતું કે તેઓ ભાજપમાં સામેલ થઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, હું હજું કોંગ્રેસમાં છું અને મને આગળની કોઈ જાણકારી નથી.