વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપ ખાતે નિશાન સ્કુુલમાં મતદાન કરવા પહોંચ્યા હતા. જ્યારે નરેન્દ્ર મોદીને નિહાળવા માટે નિશાન સ્કુલની બહાર મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા. નરેન્દ્ર મોદી રાણીપ પહોંચ્યા બાદ તેમણે મોટા ભાઇને વંદન કર્યા હતા. અને સામાન્ય નાગરિક જેમ લાઇનમાં ઉભા રહીને મતદાન કર્યુ હતુ. મોદીને જોવા માનવી મહેરામણ ઉમટ્યુ હતુ. મોદી-મોદીના નારા લગાવ્યા હતા. મોદીએ મતદાન કર્યા બાદ રોડ શો જેવો માહોલ સર્જાયો હતો. ત્યારે કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે અને ચૂંટણી પંચે તપાસનાં આદેશ આપ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્રમોદી જ્યારે રાણીપમાં મતદાન કરવા આવ્યા ત્યારે રોડ શો જેવો માહોલ સર્જાયો હતો. જેનેે લઇને કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે અને આ રોડ શો સામે વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસ દ્રારા કરવામાં આવેલી ફરિયાદના પગલે ચૂંટણી પંચ હરકતમાં આવ્યુ છે અને તપાસના આદેશ આપ્યા છે. અશોક ગેહલોતે કહ્યુ છે કે મતદાન કર્યા બાદ નરેન્દ્ર મોદી એ જે રોડ શો કર્યો હતો તે આચારસંહિતાનો ભંગ છે.ચૂંટણી પંચ વડાપ્રધાનના દબાણ હેઠળ કામ કરી રહ્યુ છે.