અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસની સુનાવણી પૂર્ણ ! વધુ સુનાવણી સોમવાર ઉપર મુલતવી !અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસની આજે વિશેષ અદાલતમાં સુનાવણી શરૂ છે ત્યારે નામદાર કોર્ટે આરોપીઓને સજા સંભળાવતા પહેલા તેઓની કોઈ રજુઆત હોય તો તે જણાવવા માટે કહ્યું હતું .ત્યારે આરોપીઓએ પોતાનો પક્ષ રજુ કર્યો
અમદાવાદમાં 2008માં થયેલ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ મામલાનો કાલે ચુકાદો આવી ગયો છે વિશેષ અદાલતમાં આજે સુનાવણી શરૂ થઈગઈછે.બચાવપક્ષના વકીલો આરોપીઓના પુરાવા રજુ કર્યા અને મેડિકલ ડિટેલ અને અન્ય ડોક્યુમેન્ટ રજૂ કરવા કોર્ટ બચાવપક્ષને સમય આપ્યો હતો.સુધીર બ્રહ્મભટ્ટ મુખ્ય સરકારી વકીલ છે આજે લગભગ આખો દિવસ સુનાવણી ચાલી શકે છે અમદાવાદમાં થયેલા સીરીયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સજા અંગેની આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં 77માંથી 51 આરોપીઓ બંધ છે. તમામ આરોપીઓને વીડિયો કોન્ફરન્સથી હાજર રાખવામાં આવ્યા છે.બોમ્બ બ્લાસ્ટ કેસની સુનાવણી ચાલી રહી છે જાણો શું કહ્યું આરોપીઓએ ..
આરોપી નં 4- એવી રજુઆત કરી કે સજા સંભળાવતા પહેલા આપ ત્રણ બાબતો વિચારજો.મારી પરિવારની સ્થિતિ સારી નથી, બાળકો ભણાવવાના છે, પોતાનું ઘર પણ નથી.બાકી શું સજા કરવી એ આપની અને અલ્લાહની મરજી. હું 13 વર્ષ જેલમાં રહ્યો મારી વર્તણૂંક પણ ધ્યાને લેજો. આરોપીની એમ પણ કહ્યું કે હું જેલમાં રહ્યો તો પણ ભણતર પર જ ધ્યાન આપ્યું .એ પણ આપ ધ્યાનમાં લેજો .આ સિવાય જેલવાસ દરમિયાન મેં ઘણો અભ્યાસ કર્યો છે અને પણ ડિગ્રીઓ મેળવી છે.
આરોપી નં 5.- આરોપી જ્ઞાસુદ્દીન અન્સારીએ એવી રજુઆત કરી કે મારા વકીલ મારા વતી રજુઆત કરશે.
આરોપી નં 6.- આરોપી કહ્યું કે મારા ઘરની સ્થિતિ સારી નથી.મારા માં -બાપ વૃદ્ધ છે, બાળકો અને પત્નીની જવાબદારી છે હું 13 વર્ષ જેલમાં રહ્યો આ બધું ધ્યાનમાં લેજો .
આરોપી નં 7- કહ્યું કે મને ખોટી રીતે દોષિત ઠેરવાયો છે
આરોપી નં 8- કહ્યું કે મારા પરિવારની પરીસ્થિતિ સારી નથી અને મને શારીરિક તકલીફો પણ છે ,જો તમે મને વધુ સજા કરશો તો પરિવારની સ્થિતિ વધુ બગડશે એ વાતનું ધ્યાન લેજો .
આરોપી નં – 10 કહ્યું કે ક્યાં કેસમાં અમને દોષિત માન્યા છે એ અમને કહેવાયુ નથી.મને દોષિત માન્યો છે, જે ગુનો મેં કર્યો જ નથી.અમારા લોકોના પરિવાર બરબાદ થઈ ગયા અમે 14 વર્ષ અમે જેલમાં કાપ્યા છે, એની કિંમત પરિવારજનોને ચૂકવવી પડી છે હાલની લીગલ સિસ્ટમ જોતા લાગે છે કે આ ધરતી પર અલ્લાહનો ન્યાય જ જરૂરી છે આ લીગલ સિસ્ટમમાં અમારી જિંદગી ખરાબ થઈ ગઈ અમારી પર ખોટો કેસ થયો છે તમારે જે સજા આપવી હોય આપો.
આરોપી નં 11 -કહ્યું કે ઉપરવાળાની જે મરજી હશે એ થશે હું એમના ઉપર છોડું છું.
આરોપી નં -12 કહ્યું કે મારુ ફર્ધર સ્ટેટમેન્ટ પણ માનવામાં આવે અને તેને સામેલ કરવામાં આવે.અને તેણે લેખિત રજુઆત કરવાની પણ માંગણી કરી છે.
આરોપી નં – 13 કહ્યું કે મારો આ કેસ જોડે કોઈ નાતો જ નથી હું એક મુસલમાન છું એટલે મને ફસાવવામાં આવ્યો છે મારી ખોટી ઓળખ કરીને ધરપકડ કરાઈ છે બાકીની રજૂઆતો હું લેખિતમાં આપીશ.મને ઘણી મેડિકલ પ્રોબ્લેમ પણ છે એ પણ ધ્યાનમાં લેશો.પાછલા લગભગ 13 વર્ષથી હું જેલમાં છું,અને હું અંદર હતો ત્યારે આ ઘટના બની છે આમાં મારો કોઈ રોલ નથી . ફક્ત મુસલમાન હોવાથી મને ફસાવવામાં આવ્યો છે હું હાલોલ કેમ્પમાં પણ નહોતો, હું ક્યારેય ગુજરાત નહોતો આવ્યો અને હું ગુજરાતી પણ નથી જાણતો. 313 સ્ટેટમેન્ટમાં મેં આ કહેલુ છે એને જોડવામાં આવે. અને મને મેડિકલ સિરિયસ પ્રોબ્લેમ છે જે પણ મેં જોડેલું છે.જો મને સજા થશે તો હું એ મારા હોમ સ્ટેટમાં કાપી શકું એવી માંગણી છે.