ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સિદ્ધારમૈયા સરકાર પર પ્રહાર કર્યા હતા. યોગીજીએ કહ્યું હતું કે, જે રીતે હિંદુઓ અને ભાજપ કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી રહી છે, તે અરાજકતાની હદ પાર કરે છે.
યોગી આદિત્યનાથે એક રેલીમાં વિધાનસભા ચૂંટણી બાદ કર્ણાટકમાં ભાજપને સરકાર બનાવવાથી કોઈ રોકી નહીં શકે તેવો દાવો પણ કર્યો હતો. તેમણે કોંગ્રેસ પર 18મી સદીના મૈસૂરના શાસક ટીપૂ સુલતાન પ્રત્યે સન્માન દર્શાવવાને ભારતની પરંપરાનું અપમાન જનક કહ્યું હતું.કર્ણાટકની કોંગ્રેસ સરકાર દ્વારા ટીપૂ સુલતાનની જયંતી મનાવાયા બાદ વિવાદ થયો છે અને આ મુદ્દે મતભેદ પણ જોવા મળી રહ્યા છે. આદિત્યનાથે કર્ણાટકને ભગવાન હનુમાનની ભૂમી ગણાવી હતી અને વિજયનગર સામ્રાજ્યનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આ દુર્ભાગ્યની વાત છે કે, કોંગ્રેસ હનુમાન અને વિજયનગરની પૂજા કરવાની જગ્યાએ ટીપૂ સુલતાનની પૂજા કરી રહ્યું છે.
આદિત્યનાથે 2 વિધાનસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આ ફરક માત્ર માનસિકતાનો છે, કારણ કે કોંગ્રેસ દેશભરમાં માફિયા રાજ લાગુ કરવા માગે છે, જે રાહુલ ગાંધીને વારસામાં મળ્યા છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.