વલસાડના ઉદવાડા ખાતે આગામી 23/24/25 ડીસેમ્બરના પારસી સમુદાય માટે ઇરાનશા મહોત્સવનું આયોજન કરાયુ છે. જેમાં જીયો પારસી યોજના પારસી સમુદાયને કેટલી ફળી છે ખૂબ ફળી છે જેવુ કે આ યોજનાથી 124 બાળકો જન્મ્યા છે જેથી પારસી સમાજમાં 124 પારસીઓની સંખ્યા વધી છે.
જીઓ પારસી યોજના અંગે વિગતો આપતા પારસીઓના ધર્મગુરુ અને જીયો પારસી યોજનાના સભાસદ ખુરશેદજી દસ્તુરે જણાવ્યું હતું કે જીઓ પારસી યોજનાના ત્રણ વર્ષમાં પારસી સમાજમાં નવા 124 બાળકોનો જન્મ થયો છે. અને એ સાથે જ પારસી વસ્તીમાં પહેલી વખત વધારો નોંધાયો છે, જે અમારા માટે ખુશીની વાત છે. આ બાળકોનો જન્મ IVF ટ્રીટમેન્ટ થકી અને સરકારના સાથથી થયો છે અને અમારી કોશીષ છે કે આ યોજના હેઠળ પારસી, સમાજને સારુ રિઝલ્ટ મળે
તમને જણાવી દઈઅે કે જીયો પારસી યોજના શું છે?
જીયો પારસી યોજના મિનિસ્ટરી ઓફ માયનોરિટી અફેર્સ (એમઓએમએ), ગર્વમેન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવી છે. વૈજ્ઞાનિક તબીબી પ્રોટોકોલ અને માળખાકીય હસ્તક્ષેપો અપનાવીને પારસી વસ્તીમાં થયેલા ઘટાડા અને ભારતમાં પારસી વસ્તીને સ્થિર અને વધારવા માટે પરઝોર ફાઉન્ડેશન અને અન્ય પારસી સંગઠનો અને ભારતભરના અનેક પ્રખ્યાત ડોકટરો સામાજિક અને મનોવૈજ્ઞાનિક અને તબીબી મુદ્દાઓ પર જાગૃતિ ફેલાવવા માટે કામ કરી રહ્યા છે.
પારસી જન્મસંખ્યામાં વધારો થાય તે માટે પારસીઓ એઆરટી (આસિસ્ટેડ રિપ્રોડકટિવ ટેકનોલોજી)નો લાભ ઉઠાવી શકે છે. જેમ કે ભારતની જનસંખ્યા પાછલા 60 વરસોમાં ત્રણ ગણી વધવા પામી છે. પણ પારસીઓની જનસંખ્યા 50% જેટલી ઓછી થઈ છે. હવે પારસી સંખ્યા ફકત (57,264) જેટલી રહી જવા પામી છે. (વસતી ગણતરી 2011)ની ગણતરી પ્રમાણે છે.
દુનિયામાં પહેલીવાર આ પ્રમાણેનો કાર્યક્રમ થઈ રહ્યો છે. એક શીખેલા અને શહેરમાં રહેવાવાળા સમુદાયને વધારવાની કોશિશ થઈ રહી છે.સપ્ટેમ્બર 2013થી આજ સુધી 124 બાળકો આ કાર્યક્રમથી જન્મ પામ્યા છે. તે માટે આ સ્કીમને લોકો ચમત્કાર જ માને છે જાણે કે અંધારામાં દેખાયેલી રોશનીનું એક કિરણ.
આ બધી નાની બાબતો મોટી વાર્તાઓનો ફકત એક જ ભાગ છે. ‘જીયો પારસી’ કાર્યક્રમમાં ઈન્ફર્ટિલિટીથી લઈને દાદા-દાદી સુધી આખા કુટુંબને આ કાર્યક્રમમાં સામેલ કરે છે. જેથી એ લોકોની શ્રધ્ધા વધે અને તેમનું ભવિષ્ય મજબૂત બને.