ગુજરાતની ચૂંટણીના પરિણામો પછી મુખ્યમંત્રી પર મન્થન ચાલી રહ્યું છે. ભાજપ રાજ્યમાં યુપીના ફોર્મ્યુલાને લાગુ કરવા અંગે વિચારણા કરી રહી છે. સૂત્રોએ કહ્યું કે વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદ પર ફરીથી બેસાડાશે. સાથે સાથે પાર્ટી બે ઉપમુખ્ય મંત્રી પણ બનાવી શકે છે, તેમાથી એક ચહેરો આદિવાસી પણ હોઈ શકે છે.
બે ઉપમુખ્યમંત્રીમાં એક ચહેરો ગણપત વસાવાનો હોઈ શકે છે. ગણપત વસાવા આદિવાસી નેતા છે અને પાર્ટી માટે લાંબા સમયથી કામ કરી રહ્યા છે માનવામાં આવે છે કે આ વિશે શુક્રવારે નિર્ણય અાવી શકે છે.
જણાવી દઈએ કે યુપી વિધાનસભાની ચૂંટણી પછીથી પાર્ટીએ યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવ્યા અને દિનેશ શર્મા અને કેશવ પ્રસાદ મૌર્યના રૂપમાં બે ઉપમુખ્ય મંત્રીઓની રચના કરી હતી. પક્ષની વ્યૂહરચના ઓબીસી સમુદાય સાથે બ્રાહ્મણ સમુદાયને પણ સંતોષ આપવાનો પ્રયાસ કરે તેવી શક્યતા છે. અા પહેલા સમાચારો હતા કે ગુજરાતમાં મુખ્યમંત્રી પદની રેસમાં રૂપાણી સૌથી આગળ હતા. તેમને કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાથી ટક્કર મળી રહી છે. હિમાચલમાં ચિત્ર થોડું સાફ થઈ રહ્યું છે. સૂત્રોના આધારે જયરામ ઠાકુરને હવે ધૂમલનો પણ અાશિર્વાદ મળતા તેમનો રસ્તો સાફ છે.
શપથ ગ્રહણ સમારોહ માટે મુખ્ય સચિવ દ્વારા સરદાર પટેલ સ્ટેડિયમનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ મહાત્મા મંદિર અને સાબરમતી રીવરફ્રન્ટના વિકલ્પો પર પણ વિચારણા કરવામાં આવી રહી છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.