ગુજરાતમાં પી.એમ. મોદી પછી સૌથી વધુ ચૂંટણીની સભાઓને સંબોધિત કરનાર યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દક્ષિણના રાજ્ય કર્ણાટકમાં પણ ભાજપના સ્ટાર પ્રચારક રહેશે. પી.એમ. મોદી ઉપરાંત યોગીને ધ્યાનમાં રાખીને જ ભાજપ કર્ણાટકની ચૂંટણીની યોજના બનાવી રહી છે. ત્રણ દિવસ પહેલા જ યોગી રાજ્યના હુબલીમાં સભા કરી આવ્યા છે.પરંતુ તેમના હિન્દુવાદી ચહેરા પર પાર્ટીની વ્યૂહરચના સ્પષ્ટ હતી. કર્ણાટક ચૂંટણીની વ્યૂહરચના સાથે સંકળાયેલા એક નેતા મુજબ યોગી દ્વારા ઘણા બધા સમીકરણો સધાયા છે.
એક તો તેઓ દેશના સૌથી મોટા પ્રદેશના વડા છે. અને બીજુ તેમની છબી હિન્દુવાદીઓને પણ અાકર્ષે છે. તેથી, યોગીને સ્ટાર પ્રચારક બનાવવા પાર્ટીને લાભ થયો છે. તેટલું જ નહી પાર્ટીએ પૂર્વોતર રાજ્ય ત્રિપુરામાં લાલ સલામના ગઢને ધ્વસ્ત કરવા માટે પણ યોગીનો ભરપુર ઉપયોગની વ્યૂહરચના બનાવવામાં આવી છે. પી.એમ. મોદી પછી યોગી પાર્ટીના સૌથી મોટા બ્રાન્ડના ચહેરા રૂપે ઉભા થયા છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.