કીવ બાદ હવે રશિયાએ યુક્રેનના બીજા મોટા શહેર ખારકીવમાં મોટાપાયે હુમલા અને તોપમારો શરુ કર્યો હોવાથી ભારતીય વિદેશ મંત્રાલયે એક એડવાઈઝરી જારી કરીને ખારકીવમાં રહેલા તમામ ભારતીયોને વહેલી તકે શહેર ખાલી કરવાનો આદેશ આપ્યો છે.
URGENT ADVISORY TO INDIAN STUDENTS IN KHARKIV.@MEAIndia @PIB_India @DDNational @DDNewslive pic.twitter.com/2dykst5LDB
— India in Ukraine (@IndiainUkraine) March 2, 2022
એડવાઈઝરીમાં વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, ભારતીયો ખારકીવથી પેસોચિન,બાબાયે અને બેઝલ્યુડોવા તરફ જઈ શકે છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે યુક્રેનના સમય મુજબ ભારતીયોએ આજે સાંજે 6 વાગ્યા સુધીમાં પેસોચિન, બાબાયે અને બેઝ્લોવકા પહોંચવું પડશે. જણાવી દઈએ કે ભારતનો સમય યુક્રેનના સમય કરતા સાડા ત્રણ કલાક આગળ છે. એટલે કે ખારકીવમાં રહેતા ભારતીયો પાસે આ સમયે શહેર છોડવા માટે સાડા ત્રણ કલાકનો સમય છે.