આજથી ઉજ્જૈનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે 3 દિવસીય સમન્વય બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત હાજર રહેશે. બેઠકમાં ભાજપના દિગ્ગજ નેતાઓ સામેલ થઈ શકે છે. સંઘના પ્રમુખ મોહન ભાગવત ઉજ્જૈનમાં સમન્વય બેઠક દરમિયાન એ જણાવશે કે વિભિન્ન ક્ષેત્રોના વિશેષજ્ઞ દેશની વર્તમાન પરિસ્થિતિને લઈને કેવા વિચાર રાખે છે. RSS પ્રમુખ મોહન ભાગવત ઉજ્જૈનમાં ભારત માતા મંદિરનું ઉદ્ઘાટન કરવા આવ્યા છે. હિમાચલ અને ગુજરાત ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે અને આ વર્ષે આઠ રાજ્યોમાં ચૂંટણી થવાની છે ત્યારબાદ લોકસભા ચૂંટણી યોજાશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.