દિલ્હીમાં 26 જાન્યુઆરીના રોજ અક્ષરધામ મંદિર પર આતંકવાદી હુમલાનું ષડયંત્ર સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ કર્યું છે. સુરક્ષા એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના રહેવાસી બિલાલ અહમદ વાણીને મથૂરાથી નિઝામુદ્દીન-ભોપાલ શતાબ્દી એક્સપ્રેસ પરથી ધરપકડ કડી હતી. બિલાલના નિશાના પર સુરક્ષા એજન્સીઓએ સમગ્ર દિલ્હી સહિત જામા મસ્જિદમાં સર્ચ અભિયાન ચલાવી રહ્યું છે 2 શંકાસ્પદ આતંકીઓની શોધખોળ ચાલુ છે.સર્ચ અભિયાનમાં યુપી એટીએસ, આઈ.બી. અને સ્પેશ્યલ સેલની ટીમો ભાગ લઈ રહી છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 3 જાન્યુઆરીના રોજ બંને શંકાસ્પદ આતંકીઓ જામા મસ્જિદના જમજમ ગેસ્ટ હાઉસ અને હોટેલમાં રોકાયા હતા.પરંતુ 6 જાન્યુઆરીએ રાત્રે 8.30 વાગ્યે હોટેલથી ભાગી જતા આ ઘટનાથી સુરક્ષા સુરક્ષા એજન્સીઓની ઉંઘ ઉડી ગઈ હતી.
અેલર્ટમાં જણાવ્યું હતું કે, જ્યાં પણ નાના એરપ્લેન ઉતરે છે, ત્યાં સલામતી વધારવા અને અહીં સુરક્ષાનો વધારો કરવાની વ્યવસ્થા કરવામાં અાવ્યો છે.
સાથે સાથે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ભવનના 300 મીટરના દાયરામાં કોઈ પણ હવાઈ અાર્ટિકલ, ડ્રોન, માઇક્રો અથવા લાઇટ એરક્રાફ્ટને ઉડવાની મંજૂરી અાપવામાં ન અાવે જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.