11 ડિસેમ્બરે વિરાટ અને અનુષ્કા શર્માનાં હાઇ પ્રોફાઇલ લગ્ન ફરી એક વખત ચર્ચામાંં છે. તેમનાં લગ્નની નોંધણીને લઇ મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. બંનેએ 11મી ડિસેમ્બરે ઇટાલીના ટસ્કની શહેર ઉપસ્થિત થયો છે. બંનેએ 11મી ડિસેમ્બરે ઇટાલીના ટસ્કની શહેર સ્થિત બોરગો ફેનોસિએતો રિસોર્ટમાં લગ્ન કર્યા હતા પરંતુ રોમ સ્થિત ભારતીય દૂતાવાસને તેની સૂચના આપી નહોતી જેને કારણે તેઓને ફરી એક વખત લગ્ન કરવા પડશે.
પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટના એડવોકેટ દ્રારા વિદેશ મંત્રાલયમાં ગત 13મી ડિસેમ્બરે આરટીઆઇ કરી હતી જે અંતર્ગત રોમ સ્થિત ભારતીય દૂતાવાસે ચોથી જાન્યુઆરીએ જવાબ આપ્યો હતો. જવાબમાંં આ વાતનો ખુલાસો થયો છે કે, વિરાટ અને અનુષ્કાએ નિયમ મુજબ પોતાના લગ્ન અંગે ઇટાલી સ્થિત ભારતીય દૂતાવાસના મેરેજ ઓફિસરને જાણકારી આપી નહોતી.