દલિત નેતા જિગ્નેશ મેવાણીને દિલ્હીમાં રેલી કરવાની મંજૂરી મળી નથી.જિગ્નેશ મેવાણીઅે આજે મંગળવારે રેલીની મંજૂરી દિલ્હી પોલીસ પાસે માંગી હતી પરંતુ તેમની વિનંતીને મંજૂર કરવામાં અાવી નથી.
રેલીની મંજૂરી ન હોવા છતાં પણ જિગ્નેશ મેવાણી અને તેમના સમર્થકોએ રેલી કરવા માટે અડગ છે. મીડિયા રિપોર્ટ મુજબ, પશ્ચિમી ઉત્તરપ્રદેશના ભીમ આર્મી પણ જંતર-મંતર પર રેલીમાં સામેલ થઈ શકે છે.ભીમ આર્મીના ઘણા સભ્યો ચંદ્રશેખર આઝાદના સમર્થનમાં ત્યાં પહોંચી રહ્યા છે.નવી દિલ્હીના પોલીસ ઉચ્ચ અધિકારીએ ટ્વિટ કર્યું હતું કે, ” સંસદ માર્ગે પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શનને એનજીટીના આદેશને ધ્યાનમાં રાખી રેલીને મંજૂરી અાપવામાં અાવી નથી,આયોજકોને વૈકલ્પિક સ્થળે જવાની સલાહ આપવામાં આવી છે જે તેઓને સ્વીકાર કરવા તૈયાર નથી. ”
એનજીટીએ ગયા વર્ષે 5 ઓકટોબરના રોજ અધિકારીઓને જંતર-મંતર રોડ પર ધરણા, પ્રદર્શન, લોકોને અેકઠા થવા, ભાષણ આપવા અને લાઉડસ્પીકરનો ઉપયોગ સંબંધિત પ્રવૃત્તિઓ તાત્કાલિક અટકાવવા આદેશ આપ્યો હતો.આયોજકોમાંથી એક જેએનયુના વિદ્યાર્થી સંઘના ભૂતપૂર્વ અધ્યક્ષ મોહિત કુમાર પાંડેયને જણાવ્યું હતું કે, આ કાર્યક્રમોને અટકાવવા માટે ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા છે અને કેટલાક મીડિયાવાળાપણ ખોટી માહિતી ફેલાવી રહ્યા છે કે રેલીને મંજૂરી અાપવામાં નથી અાવી. પાંડેયને પીટીઆઈને જણાવ્યું હતું કે, બે જાન્યુઆરી પછી રેલીની જાહેરાત થઈ ત્યારથી, દલિત નેતા જિગ્નેશ મેવાણીને એક દેશદ્રોહી અને શહેરી નક્સલી દર્શાવતા પોસ્ટરો પર ઘણાં બધા પૈસા ખર્ચ કરવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે રેલી નક્કી સમય પર જ થશે મેવાણીની કોઈ પ્રતિક્રિયા સામે નથી અાવી. એક નિવેદનમાં આયોજકોએ મંગળવારે 12 વાગ્યે સંસદ માર્ગ પર ભેગા થવાની અપીલ કરી છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.