યુવાનોનાં પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદની અાજે જન્મજયંતી છે. સ્વામી વિવેકાનંદનું સમગ્ર જીવન અને સંદેશ યૌવનનો આદર્શ હતો. તેમણે ભારતીય સંસ્કૃતિમાં યુવાવસ્થાના આદર્શને આપણી સમક્ષ રજૂ કર્યો.ફકત ૩૯ વર્ષ, પ માસ અને રર દિવસના ટૂંકા આયુષ્યમાં એવું પરાક્રમ કર્યું હતું કે, જેથી સમગ્ર વિશ્વ અચંબામાં પડી ગયું. પોતાનું જીવન, પ્રેરણા, વિચાર, સાહિત્ય તેમજ કાર્યોથી સ્વામીજીએ યુવાનોને પ્રેરિત કર્યા.સમગ્ર વિશ્વભરમાં દેશનું નામ રોશન કર્યું હતું અાજે પણ તેમને યાદ કરતાં ગર્વ અનુભવાય છે.
સ્વામીજીના જીવનને અનેક મહાપુરુષોના જીવનને પ્રભાવિત કર્યું છે. આજે પણ એમનું સાહિત્ય યુવાધન માટે પ્રેરણા સમાન છે.કોઈકે બરાબર કહ્યું છે કે, જો તમે સ્વામીજીનું પુસ્તક સૂતાં સૂતાં વાંચો તો સ્વાભાવિક જ ઊઠીને બેઠા થઈ જશો. જો બેઠા થઈને વાંચશો તો ઊઠીને ઊભા થઈ જશો અને જે ઊભા થઈને વાંચશે તે સ્વાભાવિક રીતે કામમાં પરોવાઈ જશે. આ સ્વામી વિવેકાનંદના સજીવ સંદેશનો પ્રભાવ છે. તેમણે અાપેલ સૂત્ર ઉઠો જાગો અને ધ્યેય સુધી મંડ્યા રહો. અમર બન્યું છે. રામકૃષ્ણ પરમહંસના માનસ પુત્ર અને પ્રિય શિષ્ય જીવન પર્યંત તેમના કાર્યોથી કેટલાય લોકોની જીવન પ્રેરણા બન્યા હતા.
અાજના યુવાનોમાટે અાજે પણ તેમના વિચારો જીવનપંથ પર ચાલતા પ્રેરણા પથ કંડારશે


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.