ચારા કૌભાંડ કેસમાં જેલના સળીયા પાછળ ધકેલાયા રાષ્ટ્રીય જનતા દળના ચીફ લાલુપ્રસાદ યાદવે સુનાવણી દરમિયાન કેન્દ્રના તપાસ બ્યુરો (સીબીઆઇ) કોર્ટને અનેક ફરિયાદો કરી હતી. લાલુપ્રસાદ યાદવે કોર્ટમાં કહ્યું કે હું એક મોટો નેતા છુ મારી સાથે સામાન્ય કેદી જેવું વર્તન કરવામાં આવે છે.
કોર્ટે તેના જવાબમાં લાલુને કહ્યું હતું કે નિયમ બધા માટે સમાન હોય છે, તે કોઈ પણ હોય. કોર્ટમાં હાજર એક વ્યક્તિએ કહ્યું કે સુનાવણી કરી રહેલા જજ શિવપાલ સિંહ અને લાલુ વચ્ચે કેટલાક અેવા સંવાદ થયા જેનાથી વાતાવરણ હલ્કુફુલ્કુ બન્યું હતુ.
આ દરમિયાન લાલુએ ફરિયાદ કરી કહ્યું હતું કે, તેમના ઓળખિતાઓને જેલ પરિસરમાં અટકાવવામાં અાવે છે, જજે કહ્યું હતું કે જેલના નિયમોને અનુસરવું જરૂરી છે.વળી, લાલુએ કહ્યું કે સજા 3.5 વર્ષથી 2.5 વર્ષ કરો, ત્યારે જજે કહ્યું કે તેઓ શા માટે અાવું કરે ? જજે કહ્યું કે આવી વાતો કોર્ટમાં ન કરો.
અા આઠમી વખત છે જ્યારે લાલુ જેલમાં છે, પરંતુ તે પ્રથમ વખત છે જ્યારે જેલ અધિકારીઓ તેમના પર નિયમો-કાયદા થોપે છે.અાજ સુધી જેલમાં લાલુને ખાસ દેખરેખ હેઠળ તમામ સુવિધાઓ સાથે રાખવામાં અાવતા હતા.ભાજપ શાસિત રધુબર દાસની ઝારખંડ સરકારે રાજદ પ્રમુખને કોઈ પણ પ્રકારની સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવાની મનાઇ કરી છે. લાલુને અેક સામાન્ય કેદીની જેમ જ રાખવામાં અાવી રહ્યા છે.અા વાત લાલુ અને તેના સમર્થકોને ખુંચે તે સ્વાભાવિક છે.બુધવારે લાલુએ કોર્ટમાં એક દલીલ કરી હતી કે, મકર સક્રાન્તી પર્વ રવીવારે છે તેમણે કહ્યું – અમે તેને દહીં-ચુડા ખાઈને ખુબજ ધૂમ-ધામ રીતે મનાવીએ છીઅે.આ જ કારણથી તેમના સમર્થકોને જેલમા અાવવાની અને મકર સક્રાન્તી પર્વ ઉજવવાની માગ કરી હતી પરંતુ જજે તેમની આ વાતને નજરઅંદાજ કરી હતી અને હસતા કહ્યું હતુ કે તેઅો નક્કી કરશે કે તેમને અા તહેવાર ઉજવવા દેવો કે નહી.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.