મુંબઈમાં આજે ઉદ્યોગપતિઓને મળશે ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ.સવારે ટોચના ઉદ્યોગપતિઓ સાથે ‘પાવર બ્રેકફાસ્ટ’ કરશે. મુંભઇમાં થયેલા 26 \ 11 હુમલામાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.
પાવર બ્રેકફાસ્ટમાં આનંદ મહીન્દ્ર, અજય પીરામલ, અદી ગોદરેજ, ટોચના બેંકર્સ હાજર રહેશે. ઇન્ડિયા-ઇઝરાયેલ બિઝનેસ સમીટને નેતન્યાહૂ સંબોધન કરશે. મુખ્ય પ્રધાન ફડણવીસ પણ દક્ષિણ મુંબઇમાં યોજાયેલા બિઝનેસ સમિટમાં હાજર રહેશે તેવી શક્યતા છે.
મુખ્ય પ્રધાન ફડણવીસ અને ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ વચ્ચે બેઠક થશે અને ત્યારબાદ મુખ્ય પ્રધાન ઇઝરાયેલી પ્રતિનિધિ મંડળ સાથે બપોરનું ભોજન કરશે. બપોર પછી મુંબઇ 26 \ 11 હુમલાના ભોગ બનેલાઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. નરિમાન હાઉસમાં ૧૧ વર્ષીય બાળક મોશે હોલ્ટબર્ગને નેતન્યાહૂ મળશે. મોશે મંગળવારે નવ વર્ષ પછી મુંબઇ આવ્યો હતો.
સાંજે નેતાન્યૂહુ એક પંચતારક હોટલમાં યહુદી સમાજના ૨૫-૩૦ સભ્યોને મળશે. સાંજે આ જ હોટેલમાં ‘શલીન બોલિવૂડ’ કાર્યક્રમમાં ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ હાજરી આપશે. ભારત-ઇઝરાયલ સંબંધ બાબતમાં ‘નમસ્તે શલોન’ નામનું માસિક મેગેઝિન લોન્ચ કરશે. ભાયખલાના સિનાગોગમાં મેગેઝિન લોન્ચિંગનો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે.
અામ અાજે અાખો દિવસ મુંબઈમાં અલગ અલગ કાર્યક્રમો યોજાશે જેમાં ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ હાજરી આપશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.