કોવાયા સાવરકુંડલા તરફથી સીમેન્ટ ભરીને આવી રહેલા ટ્રકનું આગળનું ટાયર ફાટતા સામે આવી રહેલા માટી ભરેલા ટ્રક સાથે ધડકાભેર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ઓળીયા નજીક સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર રીતે થયો કે બન્ને ટ્રકોને જે.સી.બીથી દ્વારા છુટા પાડવામાં આવ્યા હતા. ત્યારે અહી હાઇવે પર એક કિ.મી સુધી વાહનોના થપ્પા લાગી ગયા હતા. બારામાં સાવરકુંડલા જસરાજ સેના અને 108ને જાણ થતા તાત્કાલીક તમામ ઇજાગ્રસ્તોને સાવરકુંડલા દવાખાને ખસેડવામાં આવ્યા હતા. એક ટ્રક ડ્રાઇવર સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામના ભગવાનભાઇ વિઠ્ઠલભાઇ પરમારનું મોત નિપજ્યુ હતુ. જ્યારે જયેશભાઇ જગદિશભાઇ (ઉ.વ.35) રહે. માણાવદર અને મગનભાઇ મનજીભાઇ પરમાર રે.જાબાળ નામના બે યુવાનોને ઇજાઓ પહોચતા તેઓની સારવાર ચાલી રહી છે. આ બારામાં સાવરકુંડલા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માત બપોરના સમયે અમરેલી સાવરકુંડલા રોડ પર સાવરકુંડલાથી 12 કીમી દુર સર્જાયો હતો.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.