નરેન્દ્ર મોદી રવિવારે બેંગલુરૂમાં અને કર્ણાટકમાં સભાને સંબોધી હતી. આ રેલીમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, હવે કોંગ્રેસનો જવાનો સમય આવી ગયો છે. આ રેલી સમગ્ર કર્ણાટકમાં 90 દિવસીય પરિવર્તન યાત્રાના સમાપન પર આયોજિત કરવામાં આવી છે. કર્ણાટકમાં આગામી સમયમાં ચૂંટણી છે. કર્ણાટકમાં હાલ કોંગ્રેસની સરકાર છે. જ્યાં કોંગ્રેસની પાસે પોતાના ગઢને બચાવવાનો પડકાર છે, તો ભાજપ ફરી એક વખત કર્ણાટકમાં સરકાર બનાવવા માગે છે. કેન્દ્રની મદદથી 14 પ્રોજેક્ટો પર કામ ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકાર બમણી ગતીથી કામ કરી કહી છે. હવાઈ ચપ્પલ પહેરનાર પણ હવાઈ મુસાફરી કરી શકશે. કેન્દ્ર સરકારે આપેલી મદદ કર્ણાટક સુધી પહોંચતી જ નથી. કર્ણાટકમાંથી હવે કોંગ્રેસનો જવાનો સમય આવી ગયો છે. દરેક બાજુ કેસરિયો જ દેખાય છે. સમગ્ર દેશ જોઈ રહ્યો છે કે, હવા કઈ તરફની છે. કર્ણાટકમાં વિકાસને ગતી અપાશે કર્ણાટકમાં 8.5 લાખ ગરીબ મહિલાઓને મફતમાં ગેસ આપવામાં આવશે. કર્ણાટકને કોંગ્રેસ કલ્ચરથી મુક્ત કરીશું કર્ણાટકને સમર્પિત હશે ભાજપની સરકાર કેટલાંક લોકોને માત્ર પોતાના જ હિતની ચિંતા હોય છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.