સાવરકુંડલા ખાતે 2 દિવસથી કથાકાર મોરારિ બાપૂની રામકથા ચાલી રહી છે. અહીં હોસ્પિટલના લાભાર્થે ટ્રસ્ટીઓ સપ્તાહ યોજી રહ્યા છે. મોરારિ બાપૂને આમ તો નરેન્દ્ર મોદીના હિતેષુ માનવામાં આવે છે. પરંતુ આજે તેમણે મોદી સરકાર પર કટાક્ષ કર્યો હતો. હજારોની મેદની વચ્ચે મોરારિ બાપૂએ એવું નિવેદન આપ્યું હતું કે, હવે લાઈવ બતાવવું હોય તો પણ સરકાર ને 1 લાખ રૂપિયા ટેક્સ આપવો પડે છે, એમાં પાછું બજેટ આવ્યું એમાં ઉપરવાળાને વાંધો નથી આવ્યો અને સાવ નીચે વાળાને વાંધો નથી આવ્યો. વચ્ચે વાળાને કષ્ટ. પહેલા નંબર અમારો આવ્યો.મોટાભાગે યુપીએ સરકારને આડેહાથ લેનાર બાપૂએ આજે કટાક્ષમાં મોદી સરકારને પોતાના નિશાને લીધી હતી. તેમણે કથા દરમિયાન હસી મજાક કરતાં કેટલીક વાતો ગોળ ગોળ પણ કરી હતી. જો કે આ અનેક મુદ્દા સમજદાર લોકો સમજી ગયા હતા. જો કે આ તમામ વાતો સરકાર વિરુદ્ધ થઈ હતી જેને લઇને રાજકારણ પણ ગરમાયું હતું. તો સૂત્રો પાસેથી એવી પણ વિગતો મળી રહી છે છેલ્લા કેટલાય સમયથી આસ્થા ચેનલ લાઈવ બંધ થઈ છે. ચેનલ પર લાઈવ ચાલુ છે પણ જીવંત પ્રસાર થતું નથી 30 મિનિટ પાછળ લાઈવ આવે છે. આવી પણ વિગતો કેટલાક સેવકો પાસેથી જાણવા મળી રહી છે. રામાયણી કથાકારના નિવેદનોને સીધી રીતે તમે જુઓ તો સરકાર સામે નારાજગી પણ કહી શકાય તેમ છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.